Samadhitantra (Gujarati). Gatha: 58.

< Previous Page   Next Page >


Page 92 of 170
PDF/HTML Page 121 of 199

 

સમાધિતંત્ર૧૦૫

नन्वेवमात्मतत्त्वं स्वयमनुभूय मूढात्मनां किमिति न प्रतिपाद्यते येन तेऽपि तज्जानन्त्विति वदन्तं प्रत्याह

अज्ञापितं न जानन्ति यथा मां ज्ञापितं तथा
मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापनश्रमः ।।५८।।

टीकामूढात्मानो मां आत्मस्वरूपमज्ञापितमप्रतिपादितं यथा न जानन्ति मूढात्मत्वात् તેની ક્રિયા તું કરી શકે છે એમ માને છેએ તારો ભ્રમ છે. એ ભ્રમ હવે છોડી દે અને તારા શરીરને સદા અનાત્મબુદ્ધિએ જો, એટલે કે તે પર છે એમ જો; તે તું છે એવી આત્મબુદ્ધિથી ન જો. તારા આત્માને શરીરાદિથી નિરંતર ભિન્ન અનુભવ કરે, બંનેની એકતાબુદ્ધિ છોડી દે. તું તારા શરીરના સંબંધમાં જેવી ભૂલ કરે છે તેવી જ ભૂલ બીજા જીવોના શરીરના સંબંધમાં પણ કરે છે. તું તેમના શરીરને પણ તેમનો આત્મા માને છે. માટે તેમના આત્માને પણ તેમના શરીરથી ભિન્ન જાણ. શરીરને શરીર જાણ અને આત્માને આત્મા જાણ.

‘સ્વસ્વરૂપમાં સ્થિર થઈ જ્યાં સુધી તું સ્વપરનું ભેદજ્ઞાન કરીશ નહિ ત્યાં સુધી શરીરાદિ પર પદાર્થો સાથે તારી આત્મબુદ્ધિએકતાબુદ્ધિમમત્વબુદ્ધિકર્તાબુદ્ધિ થયા વગર રહેશે નહિ અને તારા દુઃખનો અંત આવશે નહિ. માટે બહિરાત્મપણું છોડી આત્મસ્વરૂપમાં સ્થિર થા. એ જ સુખનો ઉપાય છે.’ ૫૭.

એવી રીતે આત્મતત્ત્વને સ્વયં અનુભવીને મૂઢ આત્માઓને કેમ સમજાવતા નથી, જેથી તેઓ પણ તે જાણે? એવું બોલનાર પ્રતિ કહે છેઃ

શ્લોક ૫૮

અન્વયાર્થ :જ્ઞાનીઓ વિચારે છે કે(यथा) જેમ (मूढात्मानः) મૂર્ખ અજ્ઞાની જીવો (अज्ञापितं) જાણ કરાવ્યા વિના (मां) મને એટલે મારા આત્મસ્વરૂપને (न जानन्ति) જાણતા નથી, (तथा) તેમ (ज्ञापितं) જાણ કરાવ્યા છતાં પણ (न जानन्ति) જાણતા નથી (ततः) તેથી (तेषां) તેમનેએ મૂઢ જીવોને(मे ज्ञापनश्रमः) બોધ કરવાનો મારો પરિશ્રમ (वृथा) વ્યર્થ છેનિષ્ફળ છે.

ટીકા :જેમ મૂઢ આત્માઓ મને એટલે આત્મસ્વરૂપને, વગર કહ્યે (વગર

મૂઢાત્મા જાણે નહીં વણબોધ્યે જ્યમ તત્ત્વ,
બોધ્યે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ. ૫૮.