Samadhitantra (Gujarati). Gatha: 62.

< Previous Page   Next Page >


Page 99 of 170
PDF/HTML Page 128 of 199

 

૧૧૨સમાધિતંત્ર

यावच्च शरीरादावात्मबुद्ध्या प्रवृत्तिस्तावत्संसारः तदभावान्मुक्तिरिति दर्शयन्नाह
स्वबुद्ध्या यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम्
संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निर्वृत्तिः ।।६२।।

टीकास्वबुद्ध्या आत्मबुद्ध्या यावद् गृहणीयात् किं ? त्रयम् केषाम् ? कायवाक्चेतसां सम्बन्धमिति पाठः तत्र कायवाक्चेतसां त्रयं कर्तृ आत्मनि यावत्सम्बन्धं गृह्णीयत्स्वीकुर्यादित्यर्थः तावत्संसारः एतेषां कायवाक्चेतसां भेदाभ्यासे तु आत्मनः सकाशात् ક્રિયાઓ છે. તેનો સંબંધ શરીર સાથે છે, આત્મા સાથે નથી. શરીર જડ છે. તેને સુખ દુઃખ હોતું નથી. અજ્ઞાનીને શરીર સાથે એકતાબુદ્ધિ છે, તેથી તે શરીરની જે અવસ્થાઓ થાય છે તે પોતાની (આત્માની) થઈ માને છે, એ તેનો ભ્રમ છે.

વળી અજ્ઞાની મોહવશાત્ વસ્ત્રઆભૂષણાદિ દ્વારા શરીર ઉપર અનુગ્રહ (ઉપકાર) કરવાની બુદ્ધિ કરે છે, કારણ કે તેને દેહાધ્યાસ છેશરીરમાં તેને આત્મબુદ્ધિ છે, એટલે તેના પ્રત્યે રાગના કારણે તેવો અનુગ્રહ કરવા ઇચ્છે છે, પરંતુ આ પણ તેનો ભ્રમ છે.

માટે શરીર વિષે નિગ્રહઅનુગ્રહબુદ્ધિ કરવી તે અજ્ઞાનતા છે. ૬૧.

જ્યાં સુધી શરીરાદિમાં આત્મબુદ્ધિથી પ્રવૃત્તિ છે, ત્યાં સુધી સંસાર છે. તેના અભાવે મુક્તિ છે. તે દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૬૨

અન્વયાર્થ :(यावत्) જ્યાં સુધી (कायवाक्चेतसां त्रयं) શરીર, વચન અને મન એ ત્રણને જીવ (स्वबुद्ध्या) આત્મબુદ્ધિથી (गृह्णीयात्) ગ્રહણ કરે, (तावत्) ત્યાં સુધી (संसारः) સંસાર છે, (तु) પરંતુ (एतेषां) એ મનવચનકાયનો (भेदाभ्यासे) આત્માથી ભિન્નરૂપ અભ્યાસ થતાં (निर्वृत्तिः) મુક્તિ થાય છે.

ટીકા :સ્વબુદ્ધિથી એટલે આત્મબુદ્ધિથી જ્યાં સુધી ગ્રહણ કરે, શું (ગ્રહણ કરે)? ત્રયને (ત્રણને). કોના (ત્રયને)? કાય, વાણી અને મનના ત્રયનેઅર્થાત્ જ્યાં સુધી આત્મા વિષે કાયવાણીમનનો સંબંધ ગ્રહણ કરેસ્વીકાર કરે, એવો અર્થ છેત્યાં સુધી સંસાર છે,

જ્યાં લગી મન-વચ-કાયને આતમરૂપ મનાય,
ત્યાં લગી છે સંસાર ને ભેદ થકી શિવ થાય. ૬૨.