૧૧૪સમાધિતંત્ર
शरीरदावात्मनो भेदाभ्यासे च शरीरदृढतादौ नात्मनो दृढतादिकं मन्यते इति दर्शयन् धनेत्यादि श्लोकचतुष्टयमाह —
‘‘શરીરાદિમાં આત્માનો ભેદાભ્યાસ થતાં, તે (અન્તરાત્મા) શરીરની દ્રઢતાદિ થતાં આત્માની દ્રઢતાદિક માનતો નથી,’’ એમ બતાવી ‘ઘન’ ઇત્યાદિ ચાર શ્લોક કહે છેઃ —
અન્વયાર્થ : — (यथा) જેવી રીતે (घने वस्त्रे) જાડું વસ્ત્ર પહેરવાથી (बुधः) બુદ્ધિમાન પુરુષ (आत्मानं) પોતાને એટલે પોતાના શરીરને (घनं) જાડો – પુષ્ટ (न मन्यते) માનતો નથી, (तथा) તેવી રીતે (स्वदेहे अपि घने) પોતાનું શરીર જાડું – પુષ્ટ થવા છતાં, (बुधः) અન્તરાત્મા (आत्मानं) આત્માને (घनं न मन्यते) જાડો – પુષ્ટ માનતો નથી.
ટીકા : — ઘન એટલે ગાઢું (જાડું) વસ્ત્ર પહેરવાથી, જેમ બુધ (ડાહ્યો પુરુષ) પોતાને (શરીરને) જાડો – પુષ્ટ માનતો નથી, તેમ પોતાનું શરીર જાડું – પુષ્ટ થવા છતાં બુધ (અન્તરાત્મા) આત્માને જાડો – પુષ્ટ માનતો નથી.
ભાવાર્થ : — જેમ જાડું વસ્ત્ર પહેરવાથી, ડાહ્યો માણસ, પોતાને જાડો થયેલો માનતો નથી, તેમ શરીર જાડું થતાં, આત્મા જાડો થયો, એમ અન્તરાત્મા કદી માનતો નથી.
જેમ શરીર અને વસ્ત્ર ભિન્ન ભિન્ન છે, તેમ શરીર અને આત્મા પણ એકબીજાથી ભિન્ન છે. આમ છતાં દેહમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે; આ ભ્રાન્તિથી તે સારા ખોરાકાદિથી શરીરને પુષ્ટ કરવાની બુદ્ધિ કરે છે; પરંતુ જ્ઞાની તે બાબતમાં ઉદાસીન રહે છે, કારણ કે તે શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ કદી માનતો નથી. તેને શરીર અને આત્મા – બંનેનું ભેદજ્ઞાન વર્તે છે; તેથી તે સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રથી જ પોતાના આત્માની પુષ્ટિ માને છે. ૬૩.