Samadhitantra (Gujarati). Gatha: 64.

< Previous Page   Next Page >


Page 102 of 170
PDF/HTML Page 131 of 199

 

સમાધિતંત્ર૧૧૫

टीकाघने निविडावयवे वस्त्रे प्रावृते सति आत्मानं घन दृढावयवं यथा बुधो न मन्यते तथा स्वदेहेऽपि घने दृढे आत्मानं घनं दृढं बुधो न मन्यते ।।६३।।

जीर्णे वस्त्रे यथाऽऽत्मानं न जीर्णं मन्यते तथा
जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीर्णं मन्यते बुधः ।।६४।।

टीकाजीर्णे पुराणे वस्त्रे प्रावृते यथाऽऽत्मानं बुधो जीर्णे न मन्यते तथा जीर्णें वृद्धे स्वदेहेऽपि स्थितमात्मानं न जीर्णं वृद्धमात्मानं मन्यते बुधः ।।६४।।

શ્લોક ૬૪

અન્વયાર્થ :(यथा) જેવી રીતે (वस्त्रे जीर्णे) પહેરેલું વસ્ત્ર જીર્ણ થતાં (बुधः) બુદ્ધિમાન પુરુષ (आत्मानं) પોતાને એટલે પોતાના શરીરને (जीर्ण न मन्यते) જીર્ણ માનતો નથી, (तथा) તેવી રીતે (स्वदेहे अपि जीर्णे) પોતાનું શરીર જીર્ણ થતાં પણ (बुधः) અન્તરાત્મા (आत्मानं) (जीर्ण न मन्यते) જીર્ણ માનતો નથી.

ટીકા :જીર્ણ અર્થાત્ પુરાણું વસ્ત્ર પહેરવા છતાં, જેમ બુધ (ડાહ્યો માણસ) પોતાને (પોતાના શરીરને) જીર્ણ માનતો નથી, તેમ પોતાનો દેહ જીર્ણવૃદ્ધ થવા છતાં, તે અન્તરાત્મા (શરીરમાં) રહેલા આત્માને જીર્ણવૃદ્ધ માનતો નથી.

ભાવાર્થ :જેમ પહેરેલું વસ્ત્ર જીર્ણ થવા છતાં, ડાહ્યો માણસ પોતાના શરીરને જીર્ણ થયેલું માનતો નથી, તેમ અન્તરાત્મા શરીર જીર્ણ થતાં, પોતાના આત્માને જીર્ણ માનતો નથી.

જેમ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, એકના પરિણમનથી બીજાનું પરિણમન થતું નથી, તેમ શરીર અને આત્મા એકબીજાથી ભિન્ન હોઈ શરીરના જીર્ણરૂપ પરિણમનથી આત્માનું જીર્ણરૂપ પરિણમન થતું નથી.

વિશેષ

શરીર જીર્ણ હોય; રોગગ્રસ્ત હોય, છતાં જીવ આત્મહિત કરી શકે છે એમ જ્ઞાની

जिण्णिं वत्थिं जेम बुहु देहु ण मण्णइ जिण्णु
देहिं जिण्णिं णाणि तहँ अप्पु ण मण्णइ जिण्णु ।।(२-१७९)
परमात्मप्रकाश, योगीन्दुदेवः
જીર્ણ વસ્ત્રથી જે રીતે જીર્ણ ગણે ન શરીર,
જીર્ણ દેહથી જ્ઞાનીજન જીર્ણ ન માને જીવ. ૬૪.
૧૭