Samadhitantra (Gujarati). Gatha: 67.

< Previous Page   Next Page >


Page 106 of 170
PDF/HTML Page 135 of 199

 

સમાધિતંત્ર૧૧૯
यस्य सस्पन्दमाभाति निःस्पन्देन समं जगत्
अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः ।।६७।।

टीकायस्मात्मनः सस्पन्दं परिस्पन्दसमन्वितं शरीरादिरूपं जगत् आभाति प्रतिभासते कथम्भूतं ? निःस्पन्देन समं निःसपन्देन काष्ठपाषाणादिना समं तुल्यं कुत स्तेन तत्समं ? अग्रज्ञं जडमचेतनं यतः तथा अक्रियाभोगं क्रियापदार्थपरिस्थितिः भोगः सुखाद्यनुभवः तौ न विद्येते यत्र यस्यैवं तत्प्रतिभासते स किं करोति ? स शमं याति शमं परमवीतरागतां संसारभोगदेहोपरि वा वैराग्यं गच्छति कथम्भूतं शमं ? अक्रियाभोगमित्येतदत्रापि सम्बंधनीयम् क्रिया वाक्कायमनोव्यापारः भोग इन्द्रियप्रणालिकया विषयानुभवनं विषयोत्सवः तौ न विद्येते यत्र

શ્લોક ૬૭

અન્વયાર્થ :(यस्य) જેને એટલે જે જ્ઞાની પુરુષને (सस्पन्दं जगत्) ક્રિયાઓ ચેષ્ટાઓ કરતું (શરીરાદિરૂપ) જગત (निःस्पन्देन समं) નિઃશ્ચેષ્ટ કાષ્ઠપાષાણાદિ સમાન (अप्रज्ञं) ચેતનારહિત જડ અને (अक्रियाभोगं) ક્રિયા અને સુખાદિ અનુભવરૂપ ભોગથી રહિત (आभाति) માલૂમ પડે છે, (सः) તે (अक्रियाभोगं शमं याति) મનવચનકાયાની ક્રિયાની તથા ઇન્દ્રિયવિષયભોગથી રહિત એવા પરમ વીતરાગતારૂપ શાન્તિસુખને પામે છે; (इतरः न) બીજો કોઈ અર્થાત્ તેનાથી વિલક્ષણ બહિરાત્મા જીવ ઉપરોક્ત શાન્તિસુખને પામતો નથી.

ટીકા :જે આત્માને (જ્ઞાની આત્માને) સસ્પંદ એટલે પરિસ્પન્દયુક્ત (અનેક ક્રિયાઓ કરતું) શરીરાદિરૂપ જગત્ લાગે છેપ્રતિભાસે છે, કેવું (જગત)? નિઃસ્પન્દ (નિશ્ચેષ્ટ) સમાન, અર્થાત્ કાષ્ઠપાષાણાદિ સમાન એટલે તુલ્ય નિઃસ્પન્દ (નિશ્ચેષ્ટ). શાથી તે સમાન (ભાસે છે)? કારણ કે તે ચેતનારહિત જડઅચેતન છે તથા અક્રિયાભોગ અર્થાત્ ક્રિયા એટલે પદાર્થોની પરિણતિ અને ભોગ એટલે સુખાદિ અનુભવએ બંનેનો જેમાં અભાવ છે, એવું તે (જગત્) જેને પ્રતિભાસે છે તે શું કરે છે? તે શાંતિ પામે છે, અર્થાત્ શમ એટલે પરમ વીતરાગતા અથવા સંસાર, ભોગ અને દેહ ઉપર વૈરાગ્યતેને પામે છે. કેવી શાન્તિ? અહીં પણ તેની (શમની) સાથે અક્રિયાભોગનો સંબંધ લેવો. ક્રિયા એટલે વાણી, કાય અને મનનો વ્યાપાર અને ભોગ એટલે ઇન્દ્રિયોની પ્રણાલિકાથી (ઇન્દ્રિયોદ્વારા) વિષયોનું અનુભવન એટલે વિષયોત્સવતે બંને જેમાં વિદ્યમાન ન હોય એવી શાન્તિને પામે છે. બીજો કોઈ નહિ, અર્થાત્

સક્રિય જગ જેને દીસે જડ અક્રિય અણભોગ,
તે જ લહે છે પ્રશમને, અન્યે નહિ તદ્યોગ. ૬૭.