Samadhitantra (Gujarati). Gatha: 72.

< Previous Page   Next Page >


Page 113 of 170
PDF/HTML Page 142 of 199

 

૧૨૬સમાધિતંત્ર

जनेभ्यो वाक् ततः स्पन्दो मनसश्चित्तविभ्रमाः
भवन्ति तस्मात्संसर्गा जनैर्योगी ततस्त्यजेत् ।।७२।।

टीकाजनेभ्यो वाक् वचनप्रवृत्तिर्भवति प्रवृत्तेः स्पन्दो मनसः व्यग्रता मानसे भवति तस्याऽऽत्मनः स्पन्दाच्चित्तविभ्रमाः नानाविकल्पपवृत्तयो भवन्ति यत एवं, तत्तस्मात् योगी त्यजेत् कं ? संसर्ग सम्बन्धम् कैः सह ? जनैः

શ્લોક ૭૨

અન્વયાર્થ :(जनेभ्यः) લોકોના સંસર્ગથી (वाक्) વચનની પ્રવૃત્તિ થાય છે; (ततः) તેનાથી એટલે વચનપ્રવૃત્તિથી (मनसः स्पन्दः) મનની વ્યગ્રતા થાય છેચિત્ત ચલાયમાન થાય છે, (तस्मात्) તેનાથી એટલે ચિત્તની ચંચલતાથી (चित्तविभ्रमाः भवन्ति) ચિત્તમાં વિવિધ પ્રકારના વિકલ્પો ઊઠવા લાગે છે અર્થાત્ મન વિક્ષિપ્ત થઈ જાય છે; (ततः) તેથી (योगी) યોગીએયોગમાં સંલગ્ન થવાવાળા અન્તરાત્માએ(जनैः संसर्गं त्यजेत्) લૌકિક જનોના સંસર્ગનો ત્યાગ કરવો.

ટીકા :લોકો સાથે બોલવાથી વચનની પ્રવૃત્તિ થાય છે, પ્રવૃત્તિથી મનનું સ્પંદન મનમાં વ્યગ્રતાથાય છે, તે આત્માના (ભાવમનના) સ્પંદનથી ચિત્તવિભ્રમો અર્થાત્ વિવિધ પ્રકારના વિકલ્પોની પ્રવૃત્તિ થાય છે; તેટલા માટે યોગીએ તજવો. શું (તજવો)? સંસર્ગસંબંધ કોની સાથેનો? લોકો સાથેનો.

ભાવાર્થ :લૌકિક જનો સાથે વાર્તાલાપ કરવાથી મન વ્યગ્ર બને છે,ચિત્ત ચલાયમાન થાય છે અને વિવિધ પ્રકારના સંકલ્પવિકલ્પો ઊઠે છે. તેનાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા રહેતી નથી. માટે આત્મસ્વરૂપના અભ્યાસીએ લૌકિક જનોના સંસર્ગથી દૂર રહેવું યોગ્ય છે.

વિશેષ

સાધકને જેમ જેમ ભેદવિજ્ઞાનનું બળ વધતું જાય છે તેમ તેમ તેને પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ થાય છે અને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતાના પ્રમાણમાં તે આત્મસ્થિરતા પ્રાપ્ત કરે છે. સ્વરૂપસ્થિરતાના કાળે લૌકિક જનો સાથેનો સંસર્ગ સ્વયં છૂટી જાય છે. ૭૨.

જનસંગે વચસંગ ને તેથી મનનો સ્પંદ,
તેથી મન બહુવિધ ભમે, યોગી તજો જનસંગ. ૭૨.