Samadhitantra (Gujarati). Gatha: 74.

< Previous Page   Next Page >


Page 115 of 170
PDF/HTML Page 144 of 199

 

૧૨૮સમાધિતંત્ર

अनात्मदर्शिनो दृष्टात्मनश्च फलं दर्शयन्नाह
देहान्तरगतेर्बीजं देहेऽस्मिन्नात्मभावना
बीजं विदेहनिष्पत्तेरात्मवात्मभावना ।।७४।।

टीकादेहान्तरे भवान्तरे गतिर्गमनं तस्य बीजं कारणं किं ? आत्मभावना क्व ? વનનિવાસ માટે પ્રેમ હોતો નથી અને તેમનું ચિત્ત સંકલ્પોવિકલ્પોથી આકુલિત હોતું નથી. તેઓ ગ્રામ કે વનને પોતાના આત્મસ્વરૂપથી બહિર્ભૂત સમજે છે; તેથી કોઈમાં પણ આસક્તિ રાખવી કે તેને પોતાનું નિવાસસ્થાન માનવું એ તેમને ઇષ્ટ નથી. તેઓ તો શુદ્ધાત્મસ્વરૂપને જ પોતાની વિહારભૂમિ બનાવે છે અને તેમાં જ સદા રમ્યા કરે છે.

‘‘ચટાઈ, પત્થર, ઘાસ, જમીન, લાકડાનું પાટિયું વગેરે ધ્યાન માટે નિસ્સાર છે, કારણ કે જેણે રાગદ્વેષ અને વિષયકષાયરૂપી શત્રુઓને દૂર કર્યા છે તેવા પુરુષને તો તેનો આત્મા જ ધ્યાન માટે સાચું અત્યંત નિર્મળ આસન છેએવું જ્ઞાનીજનોએ માન્યું છે’’

આત્મસ્વરૂપના અનુભવ માટે ગ્રામઅરણ્યની જેમ અન્ય પર પદાર્થો પણ નિસ્સાર છે; ત્રિકાલી શુદ્ધાત્માનું અવલંબન જ સારભૂત છે. ૭૩.

અનાત્મદર્શી અને આત્મદર્શીના ફલને દર્શાવી કહે છેઃ

શ્લોક ૭૪

અન્વયાર્થ : (अस्मिन् देहे) આ શરીરમાં (आत्मभावना) આત્માની ભાવના અર્થાત્ શરીરને જ આત્મા માનવો તે (देहान्तरगतेः) અન્ય શરીરગ્રહણરૂપ ભવાન્તરપ્રાપ્તિનું (बीजं) બીજ એટલે કારણ છે અને (आत्मनि एव) આત્મામાં જ (आत्मभावना) આત્માની ભાવના અર્થાત્ આત્માને જ આત્મા માનવો તે (विदेहनिष्पत्तेः) શરીરના સર્વથા ત્યાગરૂપ મુક્તિનું(बीजं) બીજ છે.

ટીકા : અન્ય દેહમાં એટલે અન્ય ભવમાં ગતિ એટલે ગમનતેનું બીજ એટલે १. न संस्तरोऽश्मा न तृणं न मेदिनी, विधानतो नो फलको विनिर्मितः

यतो निरस्ताक्षकषायविद्विषः, सुधीभिरात्मैव सुनिर्मलो मतः ।।२२।।
(શ્રી અમિતગતિ આચાર્યકૃત ‘સમાયિક પાઠ’)
દેહે આતમ-ભાવના દેહાન્તરગતિ-બીજ;
આત્મામાં નિજ-ભાવના દેહમુક્તિનું બીજ. ૭૪.