૧૨૮સમાધિતંત્ર
टीका – देहान्तरे भवान्तरे गतिर्गमनं तस्य बीजं कारणं किं ? आत्मभावना । क्व ? વનનિવાસ માટે પ્રેમ હોતો નથી અને તેમનું ચિત્ત સંકલ્પો – વિકલ્પોથી આકુલિત હોતું નથી. તેઓ ગ્રામ કે વનને પોતાના આત્મસ્વરૂપથી બહિર્ભૂત સમજે છે; તેથી કોઈમાં પણ આસક્તિ રાખવી કે તેને પોતાનું નિવાસસ્થાન માનવું એ તેમને ઇષ્ટ નથી. તેઓ તો શુદ્ધાત્મસ્વરૂપને જ પોતાની વિહાર – ભૂમિ બનાવે છે અને તેમાં જ સદા રમ્યા કરે છે.
‘‘ચટાઈ, પત્થર, ઘાસ, જમીન, લાકડાનું પાટિયું વગેરે ધ્યાન માટે નિસ્સાર છે, કારણ કે જેણે રાગ – દ્વેષ અને વિષય – કષાયરૂપી શત્રુઓને દૂર કર્યા છે તેવા પુરુષને તો તેનો આત્મા જ ધ્યાન માટે સાચું અત્યંત નિર્મળ આસન છે – એવું જ્ઞાનીજનોએ માન્યું છે’’૧
આત્મસ્વરૂપના અનુભવ માટે ગ્રામ – અરણ્યની જેમ અન્ય પર પદાર્થો પણ નિસ્સાર છે; ત્રિકાલી શુદ્ધાત્માનું અવલંબન જ સારભૂત છે. ૭૩.
અનાત્મદર્શી અને આત્મદર્શીના ફલને દર્શાવી કહે છેઃ —
અન્વયાર્થ : (अस्मिन् देहे) આ શરીરમાં (आत्मभावना) આત્માની ભાવના અર્થાત્ શરીરને જ આત્મા માનવો તે (देहान्तरगतेः) અન્ય શરીરગ્રહણરૂપ ભવાન્તરપ્રાપ્તિનું (बीजं) બીજ એટલે કારણ છે અને (आत्मनि एव) આત્મામાં જ (आत्मभावना) આત્માની ભાવના અર્થાત્ આત્માને જ આત્મા માનવો તે (विदेहनिष्पत्तेः) શરીરના સર્વથા ત્યાગરૂપ મુક્તિનું(बीजं) બીજ છે.
ટીકા : અન્ય દેહમાં એટલે અન્ય ભવમાં ગતિ એટલે ગમન – તેનું બીજ એટલે १. न संस्तरोऽश्मा न तृणं न मेदिनी, विधानतो नो फलको विनिर्मितः ।