Samadhitantra (Gujarati). Samadhitantra Gathas 76 to 105: Gatha: 76.

< Previous Page   Next Page >


Page 118 of 170
PDF/HTML Page 147 of 199

 

સમાધિતંત્ર૧૩૧
देहे स्वबुद्धिर्मरणोपनिपाते किं करोतीत्याह
दृढात्मबुद्धिर्देहादावुत्पश्यन्नाशमात्मनः
मित्रादिभिर्वियोगं च बिभेति मरणाद्भृशम् ।।७६।।

જ્યાં સુધી જીવ પોતાના આત્માના સામર્થ્યનું ભાન કરી અંતરંગ રાગાદિ શત્રુઓ અર્થાત્ કષાયપરિણતિ પર વિજય પ્રાપ્ત કરી સ્વયં પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરતો નથી, ત્યાં સુધી તે સંસારરૂપી કીચડમાં ફસ્યો રહે છે અને જન્મમરણનાં અસહ્ય કષ્ટો ભોગવતો રહે છે, પરંતુ જ્યારે તે આત્મસ્વરૂપનું બરાબર જ્ઞાન કરી સ્વભાવસન્મુખ વિશેષ ઉગ્ર પુરુષાર્થ આદરે છે, ત્યારે ક્રમે ક્રમે રાગદ્વેષાદિ કષાયભાવોનો યા વિભાવ પરિણતિનો સ્વયં ત્યાગ થઈ જાય છે અને રાગાદિ ભાવથી સર્વથા મુક્ત થતાં અર્થાત્ પરમ વીતરાગતા પ્રાપ્ત થતાં તે મોક્ષ પામે છે.

‘આત્મા, પોતાના આત્મામાં મોક્ષસુખની સદા અભિલાષા કરે છે, અભીષ્ટ મોક્ષસુખનું જ્ઞાન કરાવે છે અને સ્વયં કલ્યાણકારી આત્મસુખની પ્રાપ્તિમાં પોતાને યોજે છે, તેથી આત્મા જ આત્માનો ગુરુ છે.

માટે આત્મા પરનુંનિમિત્તનું અવલંબન છોડી પોતે પોતાનો ગુરુ બને અર્થાત્ ધર્મની સિદ્ધિ માટે સ્વાશ્રયી બને, તો તે જન્મમરણનાં દુઃખોથી મુક્ત થઈ નિર્વાણ પામે. ૭૫.

દેહમાં આત્મબુદ્ધિ કરનાર (બહિરાત્મા) મરણ નજીક આવતા શું કરે છે? તે કહે છેઃ

શ્લોક ૭૬

અન્વયાર્થ :(देहादौ दृढात्मबुद्धिः)દેહાદિમાં દ્રઢ આત્મબુદ્ધિવાળો બહિરાત્મા (आत्मनः नाशं) પોતાના એટલે પોતાના શરીરના નાશને (च) અને (मित्रादिभिः वियोगं) મિત્રાદિથી થતા વિયોગને (उत्पश्यन्) દેખીને (मरणात्) મરણથી (भृशम्) અત્યંત (बिभेति) ડરે છે. १. स्वस्मिन्सदाभिलाषित्वादभीष्टज्ञापकत्वतः

स्वयं हित[तं]प्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ।।३४।। (ઇષ્ટોપદેશ-શ્લોક ૩૪)
દેખી લય પોતાતણો, વળી મિત્રાદિવિયોગ,
દ્રઢ દેહાતમબુદ્ધિને મરણભીતિ બહુ હોય. ૭૬.
૧૯