૧૩૪સમાધિતંત્ર
टीका — व्यवहारे विकल्पाभिधानलक्षणेप्रवृत्तिनिवृत्यादिस्वरूपे वा सुषुप्तोऽप्रयत्नपरो यः स जागर्त्यात्मगोचरे आत्मविषये संवेदनोद्यतो भवति । यस्तु व्यवहारेऽस्मिन्नुक्तप्रकारे जागर्ति स सुषुप्तः आत्मगोचरे ।।७८।।
‘જે પુરુષે, મૃત્યુરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થવા છતાં, પોતાના આત્માનું હિત સાધ્યું નહિ, તે સંસારરૂપી કાદવમાં ફરી ફસાઈ જઈ પોતાનું શું કલ્યાણ કરશે?’૧
આવા વિચારથી જ્ઞાની મરણથી ભય પામતો નથી, પણ મરણને તે મિત્ર સમાન ગણે છે, તેને એક મહોત્સવ તરીકે લેખે છે, અને તેથી તે નિરાકુલતાપૂર્વક આત્મસ્વરૂપમાં સ્થિર થઈ સમાધિ – મરણ સાધે છે. ૭૭.
આવું જ્ઞાન તેને જ થાય કે જે વ્યવહાર વિશે અનાદર રાખે છે, પરંતુ જેને ત્યાં (વ્યવહારમાં) આદર છે તેને આવું જ્ઞાન થતું નથી. તે કહે છેઃ —
અન્વયાર્થ : — (यः) જે (व्यवहारे) વ્યવહારમાં (सुषुप्तः) સૂતેલો છે, (सः) તે (आत्मगोचरे) આત્માના વિષયમાં (जागर्ति) જાગે છે (च) અને જે (अस्मिन् व्यवहारे) આ વ્યવહારમાં (जागर्ति) જાગે છે તે (आत्मगोचरे) આત્માના વિષયમાં (सुषुप्तः) સૂતેલો છે.
ટીકા : — વ્યવહારમાં એટલે વિકલ્પ નામ જેનું લક્ષણ છે તેમાં (‘વિકલ્પના સ્થાનરૂપ’) અર્થાત્ પ્રવૃત્તિ – નિવૃત્તિ – આદિસ્વરૂપ (વ્યવહારમાં) જે સૂતો છે – પ્રયત્નપરાયણ નથી, તે આત્મદર્શનમાં એટલે આત્મવિષયમાં જાગે છે અર્થાત્ સંવેદનમાં (આત્માનુભવમાં) તત્પર હોય છે, પણ જે આ ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે તે આત્મ – વિષયમાં સૂતો છે. (અર્થાત્ આત્મદર્શન પામતો નથી.) ✽
૧. ‘મૃત્યુમહોત્સવ’ – શ્લોક ૯, ૧૦, ૧૨, ૧૪.