Samadhitantra (Gujarati). Gatha: 78.

< Previous Page   Next Page >


Page 121 of 170
PDF/HTML Page 150 of 199

 

૧૩૪સમાધિતંત્ર

एवं च स एव बुध्यते यो व्यवहारेऽनादरपरः यस्तु तत्रादरपरः स न बुध्यत इत्याह
व्यवहारे सुषुप्तो यः स जागर्त्यात्मगोचरे
जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ।।७८।।

टीकाव्यवहारे विकल्पाभिधानलक्षणेप्रवृत्तिनिवृत्यादिस्वरूपे वा सुषुप्तोऽप्रयत्नपरो यः स जागर्त्यात्मगोचरे आत्मविषये संवेदनोद्यतो भवति यस्तु व्यवहारेऽस्मिन्नुक्तप्रकारे जागर्ति स सुषुप्तः आत्मगोचरे ।।७८।।

‘જે પુરુષે, મૃત્યુરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થવા છતાં, પોતાના આત્માનું હિત સાધ્યું નહિ, તે સંસારરૂપી કાદવમાં ફરી ફસાઈ જઈ પોતાનું શું કલ્યાણ કરશે?’

આવા વિચારથી જ્ઞાની મરણથી ભય પામતો નથી, પણ મરણને તે મિત્ર સમાન ગણે છે, તેને એક મહોત્સવ તરીકે લેખે છે, અને તેથી તે નિરાકુલતાપૂર્વક આત્મસ્વરૂપમાં સ્થિર થઈ સમાધિમરણ સાધે છે. ૭૭.

આવું જ્ઞાન તેને જ થાય કે જે વ્યવહાર વિશે અનાદર રાખે છે, પરંતુ જેને ત્યાં (વ્યવહારમાં) આદર છે તેને આવું જ્ઞાન થતું નથી. તે કહે છેઃ

શ્લોક ૭૮

અન્વયાર્થ :(यः) જે (व्यवहारे) વ્યવહારમાં (सुषुप्तः) સૂતેલો છે, (सः) તે (आत्मगोचरे) આત્માના વિષયમાં (जागर्ति) જાગે છે (च) અને જે (अस्मिन् व्यवहारे) વ્યવહારમાં (जागर्ति) જાગે છે તે (आत्मगोचरे) આત્માના વિષયમાં (सुषुप्तः) સૂતેલો છે.

ટીકા :વ્યવહારમાં એટલે વિકલ્પ નામ જેનું લક્ષણ છે તેમાં (‘વિકલ્પના સ્થાનરૂપ’) અર્થાત્ પ્રવૃત્તિનિવૃત્તિઆદિસ્વરૂપ (વ્યવહારમાં) જે સૂતો છેપ્રયત્નપરાયણ નથી, તે આત્મદર્શનમાં એટલે આત્મવિષયમાં જાગે છે અર્થાત્ સંવેદનમાં (આત્માનુભવમાં) તત્પર હોય છે, પણ જે આ ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે તે આત્મવિષયમાં સૂતો છે. (અર્થાત્ આત્મદર્શન પામતો નથી.)

जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि
जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणे कज्जे ।।३१।।(मोक्षप्रामृते, कुन्दकुन्दाचार्यः)

૧. ‘મૃત્યુમહોત્સવ’શ્લોક ૯, ૧૦, ૧૨, ૧૪.

સૂતો જે વ્યવહારમાં તે જાગે નિજમાંય;
જાગૃત જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય. ૭૮.