Samadhitantra (Gujarati). Gatha: 80.

< Previous Page   Next Page >


Page 124 of 170
PDF/HTML Page 153 of 199

 

સમાધિતંત્ર૧૩૭

यस्य च देहात्मनोर्भेददर्शनं तस्य प्रारब्धयोगावस्थायां निष्पन्नयोगावस्थायां च कीदृशं जगत्प्रतिभासत इत्याह

पूर्वं दृष्टात्मतत्त्वस्य विभात्युन्मत्तवज्जगत्
स्वभ्यस्तात्मधियः पश्चात् काष्ठपाषाणरूपवत् ।।८०।।
વિશેષ

જ્યારે જીવ અંદરના આત્માને અને બાહ્ય શરીરાદિક પર પદાર્થોને તેમનાં લક્ષણો દ્વારા એકબીજાથી ભિન્ન ભિન્ન સમજે છેબંનેનું ભેદવિજ્ઞાન કરે છે. ત્યારે તેની પરિણતિમાં પલટો આવે છે. તે બાહ્ય વિષયોથી હઠી અંતર્મુખ થાય છે અને પોતાના ઉપયોગને ઇન્દ્રિયોના વિષયોમાં નહિ ભમાવતાં તેને હવે સ્વસન્મુખ વાળી આત્મસ્વરૂપમાં એકાગ્ર થવા અભ્યાસ કરે છે. આત્મસાધનાનો અભ્યાસ વધારતાં વધારતાં એને આત્મસ્વરૂપમાં એટલી દ્રઢતા સ્થિરતા પ્રાપ્ત થાય છે કે તે ફરીથી આત્મસ્વરૂપથી ચ્યુત થતો નથી, અને આત્મિક ગુણોનો પૂર્ણ વિકાસ થતાં તે મોક્ષપદ પ્રાપ્ત કરે છે.

ભેદવિજ્ઞાન એ મુક્તિનું પ્રથમ પગથિયું છે. તેના વિના મુક્તિ કદી પ્રાપ્ત થાય નહિ. માટે ભેદવિજ્ઞાન કરી તેનો અભ્યાસ ત્યાં સુધી જારી રાખવો કે જ્યાં સુધી જ્ઞાનનો ઉપયોગ પર પદાર્થોથી હઠી આત્મસ્વરૂપમાં સ્થિર થાય.’’

‘‘જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થાય છે; જે કોઈ બંધાયા છે તે તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.’’

ભેદજ્ઞાનજ્યોતિને કેવલજ્ઞાન ઉત્પન્ન કરનારી કહી છે.

અવિચળ આત્માનુભૂતિનું મૂળ કારણ ભેદવિજ્ઞાન છે. ૭૯. જેને દેહ અને આત્માનું ભેદદર્શન છે, તેને પ્રાથમિક યોગાવસ્થામાં અને પૂર્ણ (સિદ્ધિ) યોગાવસ્થામાં જગત્ કેવું પ્રતિભાસે છે? તે કહે છેઃ

શ્લોક ૮૦

અન્વયાર્થ :(पूर्व) પ્રથમ અર્થાત્ યોગાભ્યાસની પ્રાથમિક અવસ્થામાં, ૧. ૨. શ્રી સમયસાર કલશ ૧૩૦, ૧૩૧. ૩. જુઓશ્રી સમયસાર ગાથા. ૨ ની ટીકા

સ્વાત્મદર્શીને પ્રથમ તો જગ ઉન્મત્ત જણાય;
દ્રઢ અભ્યાસ પછી જગત્ કાષ્ટ-દ્રષદવત્ થાય. ૮૦.