Samadhitantra (Gujarati). Gatha: 81.

< Previous Page   Next Page >


Page 126 of 170
PDF/HTML Page 155 of 199

 

સમાધિતંત્ર૧૩૯

ननु स्वभ्यस्तात्मधियः इति व्यर्थम् शरीराद्भेदेनात्मनस्तस्वरूपविद्भ्यः श्रवणात्स्वयं वाऽन्येषां तत्स्वरूपप्रतिपादनान्मुक्तिर्भविष्यतीत्याशङ्कयाह

श्रृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवशत्
नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षमाक् ।।८१।।

टीकाअन्यत उपाध्यायपदेः कामं अत्यर्थं श्रृण्वन्नपि कलेवराद्भिन्नमात्मानमाकर्णयन्नपि ततो भिन्नं तं स्वयमन्यान् प्रति वदन्नपि यावत्कलेवराद्भिन्नमात्मानं न भावयेत् तावन्न मोक्षभाक् मोक्षभाजनं तावन्न भवेत् ।।८१।।

‘‘વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપસન્મુખ થયું. કેમ કે આ જ્ઞાન ક્ષયોપશમરૂપ છે, તે એક કાળમાં એક જ્ઞેયને જ જાણી શકે; હવે તે જ જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે અન્યને જાણવાનું સહેજે જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી......’’ ૮૦.

‘स्वभ्यस्तात्मधियः’ એ પદ વ્યર્થ છે, કારણ કે ‘શરીરથી આત્મા ભિન્ન છે’ તેવું તેના સ્વરૂપના જાણનારાઓ પાસેથી સાંભળવાથી અથવા સ્વયં બીજાઓને તેનું સ્વરૂપ સમજાવવાથી મુક્તિ થઈ શકે છેએવી આશંકા કરી કહે છેઃ

શ્લોક ૮૧

અન્વયાર્થ :આત્માનું સ્વરૂપ (अन्यतः) બીજા પાસેથી (कामम्) બહુ જ (शृण्वन् अपि) સાંભળવા છતાં તથા (कलेवरात्) મુખથી (वदन् अपि) બીજાઓને કહેવા છતાં પણ (यावत्) જ્યાં સુધી (आत्मानं) આત્માને (भिन्नं) શરીરાદિથી ભિન્ન (न भावयेत्) ભાવે નહિ, (तावत्) ત્યાં સુધી (मोक्षभाक् न) જીવ મોક્ષને પાત્ર થતો નથી.

ટીકા :બીજા પાસેથી એટલે ઉપાધ્યાયાદિ પાસેથી બહુ જ સાંભળવા છતાં અર્થાત્ શરીરથી આત્મા ભિન્ન છે એવું શ્રવણ કરવા છતાં, તેનાથી (શરીરથી) તે (આત્મા) ભિન્ન છે એવું સ્વયં બીજાઓ પ્રતિ કહેવા છતાં, જ્યાં સુધી શરીરથી આત્મા ભિન્ન છે એવી ભાવના ૧. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકશ્રી ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીપૃ ૩૪૯ (ગુ. આવૃતિ)

બહુ સુણે ભાખે ભલે દેહભિન્નની વાત;
પણ તેને નહિ અનુભવે ત્યાં લગી નહિ શિવલાભ. ૮૧.
૨૦