૧૪૨સમાધિતંત્ર
टीका — अपुण्यमधर्मः अव्रतैर्हिंसादिविकल्पैः परिणतस्य भवति । पुण्यं धर्मो व्रतैः हिंसादिविरतिविकल्पैः परिणतस्य भवति । मोक्षः पुनस्तस्योः पुण्यापुण्ययोर्व्ययो विनाशो मोक्षः । यथैव જીવ) સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે ‘આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે’ એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે (ટકે છે) અને પરથી રાગના યોગથી – સર્વ પ્રકારે વિરમે છે.’’૧
ભેદ – વિજ્ઞાનની દ્રઢ ભાવનાથી અન્તરાત્મા શરીરાદિ પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ સેવે છે. ૮૨.
જેમ પરમ ઉદાસીન અવસ્થામાં સ્વ – પરનો વિકલ્પ ત્યાગવા યોગ્ય છે, તેમ વ્રતનો વિકલ્પ પણ (ત્યાગવા યોગ્ય છે) કારણ કેઃ —
અન્વયાર્થ : — (अव्रतैः) હિંસાદિ પાંચ અવ્રતોથી (अपुण्यम्) અપુણ્ય થાય છે અને (व्रतैः) અહિંસાદિ વ્રતોથી (पुण्यम्) પુણ્ય થાય છે. (तयोः) બંનેનો – પુણ્ય અને પાપનો – (व्ययः) નાશ તે (मोक्षः) મોક્ષ છે; (ततः) તેથી (मोक्षार्थी) મોક્ષના અભિલાષી પુરુષે (अव्रतानि इव) અવ્રતોની માફક (व्रतानि अपि) વ્રતોનો પણ (त्यजेत्) ત્યાગ કરવો.
ટીકા : — અવ્રતોથી એટલે હિંસાદિ વિકલ્પોથી પરિણત (જીવ)ને અપુણ્ય – અધર્મ થાય છે અને વ્રતોથી અર્થાત્ અહિંસાદિ વિકલ્પોથી પરિણત (જીવ)ને પુણ્ય – ધર્મ થાય છે. મોક્ષ તો, તે બંનેનો એટલે પુણ્ય અને અપુણ્યનો વ્યય એટલે વિનાશ તે મોક્ષ છે. જેમ લોઢાની સાંકળ (બેડી) બંધનું કારણ છે (એટલે તેનાથી બંધ થાય છે), તેમ સુવર્ણની સાંકળ (બેડી) પણ (બંધનું કારણ છે); માટે જેમ બેઉ સાંકળના અભાવે, વ્યવહારમાં મુક્તિ (છૂટકારો) છે, ૧. શ્રી સમયસાર – કલશ ૧૩૬.