Samadhitantra (Gujarati). Gatha: 83.

< Previous Page   Next Page >


Page 129 of 170
PDF/HTML Page 158 of 199

 

૧૪૨સમાધિતંત્ર

यथा परमौदासीन्यावस्थायां स्वपरविकल्पस्त्याज्यस्तथा व्रतविकल्पोऽपि यतः
अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः
अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत् ।।८३।।

टीकाअपुण्यमधर्मः अव्रतैर्हिंसादिविकल्पैः परिणतस्य भवति पुण्यं धर्मो व्रतैः हिंसादिविरतिविकल्पैः परिणतस्य भवति मोक्षः पुनस्तस्योः पुण्यापुण्ययोर्व्ययो विनाशो मोक्षः यथैव જીવ) સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે ‘આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે’ એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે (ટકે છે) અને પરથી રાગના યોગથીસર્વ પ્રકારે વિરમે છે.’’

ભેદવિજ્ઞાનની દ્રઢ ભાવનાથી અન્તરાત્મા શરીરાદિ પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ સેવે છે. ૮૨.

જેમ પરમ ઉદાસીન અવસ્થામાં સ્વપરનો વિકલ્પ ત્યાગવા યોગ્ય છે, તેમ વ્રતનો વિકલ્પ પણ (ત્યાગવા યોગ્ય છે) કારણ કેઃ

શ્લોક ૮૩

અન્વયાર્થ :(अव्रतैः) હિંસાદિ પાંચ અવ્રતોથી (अपुण्यम्) અપુણ્ય થાય છે અને (व्रतैः) અહિંસાદિ વ્રતોથી (पुण्यम्) પુણ્ય થાય છે. (तयोः) બંનેનોપુણ્ય અને પાપનો (व्ययः) નાશ તે (मोक्षः) મોક્ષ છે; (ततः) તેથી (मोक्षार्थी) મોક્ષના અભિલાષી પુરુષે (अव्रतानि इव) અવ્રતોની માફક (व्रतानि अपि) વ્રતોનો પણ (त्यजेत्) ત્યાગ કરવો.

ટીકા :અવ્રતોથી એટલે હિંસાદિ વિકલ્પોથી પરિણત (જીવ)ને અપુણ્યઅધર્મ થાય છે અને વ્રતોથી અર્થાત્ અહિંસાદિ વિકલ્પોથી પરિણત (જીવ)ને પુણ્યધર્મ થાય છે. મોક્ષ તો, તે બંનેનો એટલે પુણ્ય અને અપુણ્યનો વ્યય એટલે વિનાશ તે મોક્ષ છે. જેમ લોઢાની સાંકળ (બેડી) બંધનું કારણ છે (એટલે તેનાથી બંધ થાય છે), તેમ સુવર્ણની સાંકળ (બેડી) પણ (બંધનું કારણ છે); માટે જેમ બેઉ સાંકળના અભાવે, વ્યવહારમાં મુક્તિ (છૂટકારો) છે, ૧. શ્રી સમયસારકલશ ૧૩૬.

પુણ્ય વ્રતે, અઘ અવ્રતે, મોક્ષ ઉભયનો નાશ;
અવ્રત જેમ વ્રતો તણો કરે શિવાર્થી ત્યાગ. ૮૩.