हि लोहश्रृङ्खला बंधहेतुस्तथा । सुवर्णश्रृङ्खलाऽपि । अतो यथोभयश्रृंङ्खलाभावाद्व्यवहारे मुक्तिस्तथा परमार्थेऽपीति । ततस्तस्मात्मोक्षार्थी अव्रतानीव । इव शब्दो यथाऽर्थः यथाऽव्रतानि त्यजेत्तथा व्रतान्यपि ।।८३।।
टीका — अव्रतानि हिंसादिनि प्रथमतः परित्यज्य व्रतेषु परिनिष्ठितो भवेत् । पश्चात्तान्यपि त्यजेत् । किं कृत्वा ? समप्राप्य । किं तत् ? परमं पदं परमवीतरागतालक्षणं क्षीणकषायगुणस्थानं । તેમ પરમાર્થમાં પણ (પુણ્ય – પાપના અભાવે મોક્ષ છે). તેથી મોક્ષના અર્થીએ અવ્રતોની જેમ [इव શબ્દ यथाના અર્થમાં છે] વ્રતોને પણ છોડવાં.
ભાવાર્થ : — મોક્ષમાર્ગમાં હિંસાદિ પાંચ અવ્રતભાવોની જેમ પાંચ અહિંસાદિ વ્રતભાવો પણ બાધક છે, કારણ કે અવ્રતભાવ તે અશુભ ભાવ છે, તે પાપબંધનું કારણ છે અને વ્રતભાવ તે શુભ ભાવ છે, તે પુણ્યબંધનું કારણ છે; બંને બંધના કારણ છે. પુણ્ય અને પાપ એ બંનેનો નાશ થાય ત્યારે જ મુક્તિ થાય છે. માટે મોક્ષાર્થીએ લોઢા અને સોનાની બેડીની જેમ અવ્રતભાવોનો તેમ જ વ્રતભાવોનો પણ ત્યાગ કરવો જોઈએ.૧
પુણ્ય અને પાપ – બંને વિભાવ પરિણતિથી ઉપજ્યા હોવાથી બંને બંધરૂપ જ છે; બંને સંસારનું કારણ હોઈ એકરૂપ જ છે. માટે મોક્ષાર્થીએ તો એ બંનેનો ત્યાગ કરી શુદ્ધોપયોગની નિરંતર ભાવના ભાવી આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો યોગ્ય છે. ૮૩.
તે કેવી રીતે તજવાં તેનો ત્યાગ – ક્રમ દર્શાવી કહે છેઃ —
અન્વયાર્થ : — (अव्रतानि) હિંસાદિક પાંચ અવ્રતોને (परित्यज्य) છોડીને (व्रतेषु) અહિંસાદિક વ્રતોમાં (परिनिष्ठितः) નિષ્ઠાવાન રહેવું – અર્થાત્ તેનું દ્રઢતાથી પાલન કરવું; પછી (आत्मनः) આત્માના (परमं पदं) પરમ વીતરાગ પદને (प्राप्य) પ્રાપ્ત કરને (तानि अपि) ૧. જુઓ – શ્રી સમયસાર – ગાથા ૧૪૫ થી ૧૫૦.