Samadhitantra (Gujarati). Gatha: 88-89.

< Previous Page   Next Page >


Page 138 of 170
PDF/HTML Page 167 of 199

 

સમાધિતંત્ર૧૫૧
जातिर्देहाश्रिता दृष्टा देह एवात्मनो भवः
न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ।।८८।।
टीकाजातिर्ब्राह्मणादिर्देहाश्रितेत्यादि सुगमं ।।८८।।
तर्हिं ब्राह्मणादिजातिविशिष्टो निर्वाणादिदीक्षया दीक्षितो मुक्तिं प्राप्नोतीति वदन्तं प्रत्याह
जातिलिंगविकल्पेन येषां च समयाग्रहः
तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ।।८९।।
શ્લોક ૮૮

અન્વયાર્થ :(जातिः) જાતિ (देहाश्रिता दृष्टा) શરીરને આશ્રિત જોવામાં આવે છે અને (देहः एव) દેહ જ (દેહમાં આત્મબુદ્ધિ જ) (आत्मनः भवः) આત્માનો ભવ (संसार) છે; (तस्मात्) તેથી (ये) જેમને (जातिकृताग्रहाः) મુક્તિની પ્રાપ્તિ માટે જાતિનો હઠાગ્રહ છે (ते अपि) તેઓ (भवात् न मुच्यन्ते) સંસારથી મુક્ત થતા નથી.

ટીકા :બ્રાહ્મણાદિ દેહાશ્રિત છે, ઇત્યાદિ અર્થ સુગમ છે (અર્થાત્ સમજવો સહેલો છે).

ભાવાર્થ :લિંગની માફક જાતિ પણ દેહાશ્રિત છે અને દેહમાં આત્મબુદ્ધિ તે સંસાર છે, તેથી જેઓ મુક્તિ માટે જાતિનો આગ્રહ રાખે છે અર્થાત્ જાતિને જ મુક્તિનું મૂળ માને છે તેઓ પણ સંસારથી છૂટતા નથી, કારણ કે તેઓ સંસારના આગ્રહી છે.

જાતિ પણ મુનિ અવસ્થામાં, જે પ્રકારની આગમમાં કહી છે તે પ્રમાણે, નિયમા હોય છે; તેનાથી વિરુદ્ધ જાતિ ભાવલિંગી મુનિને હોતી નથી. તે જાતિથી કે તે તરફના વલણ કે વિકલ્પથી મોક્ષ થતો નથી, કિન્તુ રાગ ઉત્પન્ન થાય છે. માટે તે તરફનું વલણ છોડી આત્મસન્મુખ થઈ તેમાં લીન થવાથી મોક્ષ થાય છે એમ આ શ્લોક ઉપરથી સમજવું. ૮૮.

ત્યારે તો બ્રાહ્મણાદિ જાતિવિશિષ્ટ નિર્વાણાદિની દીક્ષાથી દીક્ષિત થઈને મુક્તિ પ્રાપ્ત કરી શકે એવું બોલનાર પ્રતિ કહે છેઃ

તનને આશ્રિત જાતિ છે, તન જીવનો સંસાર;
તેથી જાત્યાગ્રહી તણો છૂટે નહિ સંસાર. ૮૮.
જાતિ-લિંગ-વિકલ્પથી આગમ-આગ્રહ હોય,
તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહિ હોય. ૮૯.