तत्प्रदप्राप्यर्थं जात्यादिविशिष्टे शरीरे निर्ममत्वसिद्धयर्थं भोगेभ्यो व्यावृत्त्यापि पुनर्मोहवशाच्छशरीर एवानुबन्धं प्रकुर्वन्तीत्याह —
टीका — यस्य शरीरस्य त्यागाय निर्ममत्वाय भोगेभ्यः स्रग्वनितादिभ्यो निवर्तन्ते । तथा यदवाप्तये यस्य परमवीतरागत्वस्यावाप्तये प्राप्तिनिमित्तं भोगेभ्यो निवर्तन्ते । प्रीतिमनुबन्धं तत्रैव शरीरे एव कुर्वन्ति द्वेषं पुनरन्यत्र परमवीतरागत्वे । के ते ? मोहिनो मोहवन्तः ।।९०।। મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (જે પરમાર્થ સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા – અનુભવતા નથી.’’૧ ૮૯.
તે પદની પ્રાપ્તિ અર્થે જાતિ આદિ વિશિષ્ટ શરીરમાં નિર્મમત્વની સિદ્ધિ માટે ભોગોથી વ્યાવૃત્ત થઈને (પાછો હઠીને) પણ ફરીથી મોહવશ શરીરમાં જ અનુબંધ (અનુરાગ) કરે છે તે કહે છેઃ —
અન્વયાર્થ : — (यत्त्यागाय) જેના (શરીરના) ત્યાગ માટે અર્થાત્ જેનાથી મમત્વ હઠાવવા માટે અને (यद् अवाप्तये) જેને (પરમ વીતરાગપદને) પ્રાપ્ત કરવા માટે (भोगेभ्यः) ઇન્દ્રિયોના ભોગોથી (निवर्तन्ते) નિવૃત્તિ પામે છે (तत्र एव) તેમાં જ એટલે શરીર અને ઇન્દ્રિયોના વિષયોમાં જ (मोहिनः) મોહી જીવો (प्रीतिं कुर्वन्ति) પ્રીતિ કરે છે અને (अन्यत्र) બીજે એટલે વીતરાગ પદ ઉપર (द्वेषं कुर्वन्ति) દ્વેષ કરે છે.
ટીકા : — શરીરના ત્યાગ માટે અર્થાત્ તેમાં નિર્મમત્વ માટે ભોગોથી એટલે માળા – વનિતાદિથી નિવૃત્ત થાય છે (પાછા હઠે છે) તથા જેની પ્રાપ્તિ માટે અર્થાત્ જે પરમ વીતરાગતા, તેની પ્રાપ્તિ માટે એટલે પ્રાપ્તિ નિમિત્તે ભોગોથી નિવૃત્ત થાય છે; તેમાં જ એટલે આ બદ્ધ શરીરમાં પ્રીતિ એટલે અનુબંધ કરે છે અને બીજે અર્થાત્ પરમ વીતરાગતા ઉપર ૧. શ્રી સમયસાર-ગાથા-૪૦૮, ૪૦૯, ૪૧૩ અને ટીકા.