Samadhitantra (Gujarati). Gatha: 91.

< Previous Page   Next Page >


Page 141 of 170
PDF/HTML Page 170 of 199

 

૧૫૪સમાધિતંત્ર

तेषां देहे दर्शनव्यापारविपर्यासं दर्शयन्नाह
अनन्तरज्ञः संधत्ते दृष्टिं पंगोर्यथाऽन्धके
संयोगात् दृष्टिमङ्गेऽपि संधत्ते तद्वदात्मनः ।।९१।।

टीकाअनन्तरज्ञो भेदाग्राहक पुरुषो यथा पङ्गोर्दष्टिमन्धके सन्धत्ते आरोपयति कस्मात् संयोगात् पंग्वन्ध्योः सम्बन्धमाश्रित्य तद्वत् तथा देहात्मनोः संयोगादात्मनो दृष्टिमंगेऽपि सन्धत्ते अंगं (गः) पश्यतीति [मन्यते मोहाभिभूतो बहिरात्मा ।।९१।। દ્વેષ કરે છે. કોણ તેઓ? મોહીમોહાન્ધ જીવો.

ભાવાર્થ :શરીરાદિ પર પદાર્થોથી મમત્વ હઠાવવા માટે પરમ વીતરાગ પદની પ્રાપ્તિ માટે કેટલાક જીવો વિષયભોગોનો ત્યાગ કરી સંયમના સાધન અંગીકાર કરે છે, પરંતુ પાછળથી મોહવશ તેઓ તે જ શરીર અને વિષયભોગોમાં પ્રીતિ કરે છે અને સંયમનાં સાધનો ઉપર દ્વેષ કરે છે.

મોહની આવી વિચિત્ર લીલા છે; તેથી પુરુષાર્થ દ્રઢ કરી જીવ મોહમાં ન ફસાય તે માટે આચાર્યનો આ શ્લોક દ્વારા ઉપદેશ છે. ૯૦.

તેમનો દેહમાં દર્શનવ્યાપારનો વિપર્યાસ (વિપરીતતા) બતાવીને કહે છેઃ

શ્લોક ૯૧

અન્વયાર્થ :(अनन्तरज्ञः) તફાવતનેભેદને નહિ જાણનાર પુરુષ (यथा) (संयोगात्) સંયોગના કારણે ભ્રમમાં પડી (पंगोः दृष्टिं) લંગડાની દ્રષ્ટિને પુરુષમાં (अन्धके) અંધ (संधत्ते)આરોપે છે, (तद्वत्) તેમ (आत्मनः दृष्टिं) આત્માની દ્રષ્ટિને (अङ्गे अपि) શરીરમાં પણ (संधत्ते) આરોપે છે.

ટીકા :અનન્તરને (ભેદને) નહિ જાણનારભેદને ગ્રહણ નહિ કરનાર પુરુષ, જેમ લંગડાની દ્રષ્ટિને અંધ પુરુષમાં જોડે છેઆરોપે છે, શાથી? સંયોગથી અર્થાત્ લંગડા અને અંધપુરુષના સંબંધનો આશ્રય કરીને, તેમ દેહ અને આત્માના સંયોગને લીધે, આત્માની દ્રષ્ટિને શરીરમાં પણ આરોપે છે, અર્થાત્ મોહાભિભૂત બહિરાત્મા માને છે કે ‘શરીર દેખે છે.’

અજ્ઞ પંગુની દ્રષ્ટિને માને અંધામાંય;
અભેદજ્ઞ જીવદ્રષ્ટિને માને છે તનમાંય. ૯૧.