Samadhitantra (Gujarati). Gatha: 92.

< Previous Page   Next Page >


Page 142 of 170
PDF/HTML Page 171 of 199

 

સમાધિતંત્ર૧૫૫
अन्तरात्मा किं करोतीत्याह
दृष्टभेदो यथा दृष्टिं पङ्गोरन्धे न योजयेत्
तथा न योजयेद्देहे दृष्टात्मा दृष्टिमात्मनः ।।९२।।

ભાવાર્થ :શરીર અને આત્માના સંયોગસંબંધને લીધે અજ્ઞાનીને ભ્રમ થાય છે કે શરીરની ક્રિયા જીવ કરે છે. આચાર્ય આ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. અંધ, લંગડાને ખભા ઉપર બેસાડી રસ્તે જઈ રહ્યો છે. ઠીક રસ્તે જવા માટે લંગડો અંધાને ઇશારો કરે છે. લંગડા આંધળાનુંબંનેનું સંયોગરૂપ જોડું છે. માર્ગે ચાલવામાં લંગડાની દ્રષ્ટિ અને આંધળાના પગ કામ કરે છે. આ બંનેની સંયુક્ત ગતિનો ભેદ નહિ જાણનાર કોઈ મંદ દ્રષ્ટિવાળો પુરુષ એમ સમજે છે કે આ અંધો જ સાવધાનીપૂર્વક જોઈને ચાલી રહ્યો છે, પણ તેનો એ ભ્રમ છે; તેવી રીતે આત્મા અને શરીરના સંયોગ સંબંધનો ભેદ નહિ જાણનાર બહિરાત્મા શરીરની ક્રિયાને આત્માની ક્રિયા સમજે છે અર્થાત્ શરીરને જ આત્મા માને છે. એ તેનો તેવો જ ભ્રમ છે.

વિશેષ

જેમ આંધળાની ગતિમાં લંગડાની દ્રષ્ટિ નિમિત્તમાત્ર છેઅર્થાત્ જેમ એ ગતિ અને દ્રષ્ટિ વચ્ચે કર્તાકર્મ સંબંધ નથી પણ માત્ર નિમિત્તનૈમિતિક સંબંધ છેતેમ શરીરની ગતિનો આત્મા કર્તા નથી. બંને વચ્ચે કોઈ વખતે માત્ર નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય છે, પરંતુ કર્તાકર્મ સંબંધ હોતો નથી. અજ્ઞાનીને સંયોગસંબંધને લીધે બંનેના એકપણાનો ભ્રમ થઈ જાય છે અને તેથી તે શરીર અને આત્માને એક ગણી શરીરની ક્રિયા જીવ કરે છે એમ માને છે.

નિમિત્ત હોવા છતાં, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે. ૯૧.

અંતરાત્મા શું કરે છે તે કહે છેઃ

શ્લોક ૯૨

અન્વયાર્થ :(दृष्टभेदः) જે ભેદ જાણે છે તે (यथा) જેમ (पंगोः दृष्टिं) લંગડાની દ્રષ્ટિને (अंधे) અંધ પુરુષમાં (न योजयेत्) યોજતો નથીઆરોપતો નથી (तथा) તેમ १. वज्झ कारण निरपेक्खो वथ्थु परिणामो વસ્તુનું પરિણમન બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. (જુઓ-જયધવલ-પેરા૨૪૪, પૃ. ૧૧૭; પુસ્તક ૭.)

વિજ્ઞ ન માને પંગુની દ્રષ્ટિ અંધામાંય;
નિજજ્ઞ ત્યમ માને નહીં જીવદ્રષ્ટિ તનમાંય. ૯૨.
૨૨