Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 145 of 170
PDF/HTML Page 174 of 199

 

૧૫૮સમાધિતંત્ર तेषामविपर्यासात् स्वरूपसंवित्तिवैकल्यासम्भवाच्च यदि सुप्ताद्यवस्थायामप्यात्मदर्शनं स्यात्तदा जाग्रदवस्थावत्तत्राप्यात्मनः कथं सुप्तादिब्यपदेश इत्युप्युक्तम् यतस्तत्रेन्द्रियाणां स्वविषये निद्रया प्रतिबन्धात्तद्व्यपदेशो न पुनरात्मदर्शनप्रतिबन्धादिति तर्हि कस्याऽसौ विभ्रमो भवति ? अक्षीणदोषस्य बहिरात्मनः कथम्भूतस्य ? सर्वावस्थात्मदर्शिनः सर्वावस्थां बालकुमारादिलक्षणां सुप्तोन्मत्तादिरूपां चात्मेति पश्यत्येवं शीलस्य ।।९३।।

જો સુપ્તાદિ અવસ્થામાં પણ આત્મદર્શન હોય તો જાગૃત અવસ્થાની જેમ, તેમાં પણ આત્માને સુપ્તાદિનો વ્યપદેશ (કથન) કેવી રીતે ઘટે? માટે તે પણ અયોગ્ય છે.

(સમાધાન)ત્યાં ઇન્દ્રિયોને સ્વવિષયમાં નિદ્રાને લીધે પ્રતિબંધ છે, પરંતુ ત્યાં આત્મદર્શનનો પ્રતિબંધ નથી, માટે તેનો વ્યપદેશ ઘટે છે.

ત્યારે કોની તે વિભ્રમરૂપ લાગે છે? અક્ષીણ દોષવાળા બહિરાત્માની. કેવા (બહિરાત્માની)? સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારનીઅર્થાત્ બાલકુમારાદિરૂપ અને સુપ્તઉન્મત્તાદિરૂપ સર્વ અવસ્થાને જે આત્મા માને છે તેવા સ્વભાવવાળાની (બહિરાત્માની).

ભાવાર્થ :સંસ્કૃત ટીકાકારે પ્રસ્તુત શ્લોકને નીચેના રૂપમાં સમજી બીજો અર્થ પણ કર્યો છેઃ

सुप्तोन्मत्ताद्यवस्थापि विभ्रमो नात्मदर्शिनाम्
विभ्रमोऽक्षीणदोषस्य सर्वावस्थात्मदर्शनः ।।९३।।

અર્થઃઆત્મદર્શી પુરુષોની નિદ્રાવસ્થા અને ઉન્મત્તાવસ્થા પણ વિભ્રમરૂપ હોતી નથી અને સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની (બહિરાત્માની)જેના મિથ્યાત્વાદિ દોષો ક્ષીણ થયા નથી તેવાનીતે (નિદ્રાવસ્થા અને જાગ્રતાવસ્થાદિ સર્વ અવસ્થાઓ) વિભ્રમરૂપ છે.

જે આત્મદર્શી અન્તરાત્મા છે તેને સુપ્તાદિ અવસ્થા વિભ્રમ નથી, તો જાગ્રતાદિ અવસ્થાઓ તો વિભ્રમરૂપ કેમ જ હોય? ન જ હોય, કારણ કે આત્મસ્વરૂપના દ્રઢતર અભ્યાસના કારણે તેનું જ્ઞાન તે અવસ્થાઓમાં આત્મસ્વરૂપથી ચ્યુત થતું નથી. ઇન્દ્રિયોની શિથિલતા અને રોગાદિવશ કદાચિત્ તેને ઉન્મત્તતા પણ આવી જાય, તો પણ તેના આત્માનુભવ સંસ્કાર છૂટતા નથીબરાબર કાયમ જ રહે છે; પરંતુ અજ્ઞાની બહિરાત્મને બાલ, કુમારાદિરૂપ તથા સુપ્તઉન્મત્તાદિરૂપ સર્વ અવસ્થાઓમાં દેહાધ્યાસઆત્મબુદ્ધિ હોવાથી તેની બધી ક્રિયાઓ વિભ્રમરૂપમિથ્યા છે.

અંતરાત્માને નિરંતર જ્ઞાનચેતનાનું પરિણમન હોવાથી બધી અવસ્થાઓમાંઓસુપ્ત કે જાગ્રત, ઉન્મત્ત કે અનુન્મત્ત અવસ્થામાંતેની ક્રિયાઓ વિભ્રમરૂપ હોતી નથી, પરંતુ