ननु सर्वावस्थात्मदर्शिनोऽप्यशेषशास्त्रपरिज्ञानान्निद्रारहितस्य मुक्तिर्भविष्यतीति वदन्तं प्रत्याह —
टीका — न मुच्यते न कर्मरहितो भवति । कोऽसौ ? देहात्मदृष्टिर्बहिरात्मा । कथम्भूतोऽपि ? विदिताशेषशास्त्रोऽपि परिज्ञाताशेषशास्त्रोऽपि देहात्मदृष्टिपर्यतः देहात्मनोर्भेदरुचिरहितो यतः । पुनरपि कथम्भूतोऽपि ? जाग्रदपि निद्रयाऽनभिभूतोऽपि । यस्तु ज्ञातात्मा परिज्ञातात्मस्वरूपः स सुप्तोन्मत्तोऽपि બહિરાત્માને સર્વ અવસ્થાઓમાં નિરંતર અજ્ઞાન ચેતનાનું પરિણમન હોવાથી તેની બધી ક્રિયાઓ વિભ્રમરૂપ – મિથ્યા હોય છે.
આ રીતે બહિરાત્મા અને અન્તરાત્માની અવસ્થામાં મોટો ફેર છે. અંતરાત્મા આત્મસ્વરૂમાં સદા જાગૃત રહે છે અને બહિરાત્માની એનાથી વિપરીત દશા હોય છે. ૯૩.
સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની પણ, અશેષ (સંપૂર્ણ) શાસ્ત્રોના પરિજ્ઞાનને લીધે નિદ્રારહિત (જાગ્રત) થયેલાની મુક્તિ થશે? એવું બોલનાર પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : — (देहात्मदृष्टिंः) શરીરમાં આત્મબુદ્ધિ રાખનાર બહિરાત્મા (विदिताशेषशास्त्रः अपि) સંપૂર્ણ શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં તથા (जाग्रत अपि) જાગતો હોવા છતાં (न मुच्यते) કર્મબંધનથી છૂટતો નથી; કિન્તુ (ज्ञातात्मा) ભેદજ્ઞાની – અન્તરાત્મા (सुप्तोन्मत्तः अपि) નિદ્રાવસ્થામાં યા ઉન્મત્તાવસ્થામાં હોવા છતાં (मुच्यते) કર્મબંધનથી મુક્ત થાય છે – વિશિષ્ટ રૂપથી કર્મોની નિર્જરા કરે છે.
ટીકા : — મુક્ત થતો નથી – કર્મરહિત થતો નથી. કોણ તે? શરીરમાં આત્મબુદ્ધિ રાખનાર – બહિરાત્મા કેવો હોવા છતાં? સર્વ શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં સર્વ શાસ્ત્રોના પરિજ્ઞાનવાળો હોવા છતાં – , કારણ કે તે દેહાત્મદ્રષ્ટિ છે અર્થાત્ દેહ અને આત્માના ભેદની રુચિ વિનાનો છે. વળી તે કેવો (હોવા છતાં) છે? જાગૃત હોવા છતાં – નિદ્રાથી અભિભૂત (ઘેરાયેલો) નહિ હોવા છતાં.