૧૬૦સમાધિતંત્ર मुच्यते विशिष्टां कर्मनिर्जरां करोति दृढतराभ्यासात्सुप्ताद्यवस्थायामप्यात्मस्वरूपसंवित्त्यवैकल्यात् ।।९४।।
જે જ્ઞાતાત્મા છે અર્થાત્ જેણે આત્મસ્વરૂપ જાણ્યું છે (અનુભવ્યું છે) તે સુપ્ત અને ઉન્મત્ત હોવા છતાં મુક્ત થાય છે – વિશિષ્ટ કર્મ – નિર્જરા કરે છે, કારણ કે તેને દ્રઢતર અભ્યાસને લીધે સુપ્તાદિ અવસ્થામાં પણ આત્મસ્વરૂપના સંવેદનમાં વૈકલ્ય (ચ્યુતિ) હોતું નથી.
ભાવાર્થ : — જેને શરીરમાં આત્મબુદ્ધિ છે – જે શરીરને જ આત્મા માને છે એટલે કે શરીરની ક્રિયા આત્મા કરે છે એવું માને છે – તે ભલે સર્વ શાસ્ત્રોનો જાણકાર હોય અને જાગૃતાવસ્થામાં (સભાન અવસ્થામાં) હોય, તો પણ ભેદવિજ્ઞાનના અભાવે તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જેને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે અને આત્મસ્વરૂપના અનુભવનો દ્રઢતર અભ્યાસ છે તેવો અન્તરાત્મા, નિદ્રાવસ્થામાં યા ઉન્મત્તાવસ્થામાં હોવા છતાં વિશિષ્ટ પ્રકારે કર્મોની નિર્જરા કરે છે કારણ કે તેને નિરંતર જ્ઞાન ચેતનાનું પરિણમન છે. આ કર્મનિર્જરા તેની મુક્તિના કારણરૂપ બને છે.
અજ્ઞાની જીવને અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન હોય, પોતાના શાસ્ત્રજ્ઞાનથી બીજાઓને મુગ્ધ કરે, પ્રશંસાને પાત્ર બને, પણ જો તે આત્મજ્ઞાનશૂન્ય હોય તો તેનું બધું જ્ઞાન આત્મહિત માટે કાર્યકારી નથી – બાધક છે. ગધેડા ઉપર લાદેલાં શાસ્ત્રોના બોજા સમાન તે જ્ઞાન તેને બોજારૂપ છે. ૯૪.
(સુપ્તાદિ અવસ્થાઓમાં પણ) તે અવૈકલ્ય (અચ્યુતિ) શા કારણે હોય છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (यत्र एव) જ્યાં જ એટલે જે કોઈ વિષયમાં જ (पुंसः) પુરુષની