Samadhitantra (Gujarati). Gatha: 96.

< Previous Page   Next Page >


Page 149 of 170
PDF/HTML Page 178 of 199

 

૧૬૨સમાધિતંત્ર

क्व पुनरनासक्तं चित्तं भवतीत्याह
यत्रानाहितधीः पुंसः श्रद्धा तस्मान्निवर्तते
यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः ।।९६।।

टीकायत्र यस्मिन्विषये अनाहितधीरदत्तावधाना बुद्धिः ‘‘यत्रैवाहितधीरिति च पाठः यत्र च अहितधीरनुपकारकबुद्धिः ’’ कस्य ? पुंसः तस्माद्विषयात्सकाशात् श्रद्धा निवर्तते यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः तस्मिन् विषये लय आसक्तिस्तल्लयः कुतो नैव कुतश्चिदपि ।।९६।।

વળી ચિત્ત ક્યાં અનાસક્ત હોય છે તે કહે છેઃ

શ્લોક ૯૬

અન્વયાર્થ :(यत्र) જ્યાં એટલે જે વિષયમાં (पुंसः) પુરુષની (अनाहित धीः) બુદ્ધિ સાવધાનરૂપ હોતી નથી, (तस्मात्) તેનાથી (श्रद्धा) શ્રદ્ધા, (निवर्तते) હઠી જાય છે ઊઠી જાય છે; અને (यस्मात्) જેનાથી (श्रद्धा) શ્રદ્ધા (निवर्तते) હઠી જાય છે તે વિષયમાં (चित्तस्य) ચિત્તની (तल्लयः कुतः) લીનતા કેવી રીતે હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ.

ટીકા :જ્યાં એટલે જે વિષયમાં બુદ્ધિ સંલગ્ન હોતી નથી અર્થાત્ બુદ્ધિ દત્તાવધાનરૂપ હોતી નથી,‘यत्रैवाहितधीरिति’ એવો પણ પાઠ છે, તેનો અર્થ એ છે કેજ્યાં અહિત બુદ્ધિ એટલે અનુપકારક બુદ્ધિ હોય છેકોની? પુરુષની, તે વિષયથી શ્રદ્ધા પાછી ફરે છે. જેનાથી શ્રદ્ધા પાછી ફરે, તે વિષયમાં ચિત્તની લીનતા કેમ હોઈ શકે? તે વિષયમાં ચિત્તનો લય એટલે આસક્તિ ક્યાંથી થાય? ક્યાંયથી પણ નહિ.

ભાવાર્થ :જે વસ્તુને પુરુષ હિતકારી સમજતો નથી તે વસ્તુમાં તેને રુચિ ઉત્પન્ન થતી નથી અને જે વસ્તુમાં રુચિ ન હોય તે વસ્તુમાં તેનું મન કેવી રીતે લાગે? ન જ લાગે.

અજ્ઞાની જીવોને ઇન્દ્રિયોના વિષયો ઇષ્ટ લાગે છેહિતકારી લાગે છે, તેથી તેમની રુચિ તેમાં ઉત્પન્ન થાય છે અને મન તેમાં લાગે છે; જ્ઞાનીને તે વિષયો અનિષ્ટ લાગતા નથી, પણ તે પ્રત્યેનો રાગ અનિષ્ટઅહિતકારી લાગે છે, તેથી તેની રુચિ તે તરફથી હઠે છે અને તેમાં મન લાગતું નથી. તે વિષયો પ્રત્યે ઉદાસીન રહે છે.

જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત;
જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન? ૯૬.