यत्र च चित्तं विलीयते तद्ध्येयं भिन्ननभिन्नं च भवति, तत्र भिन्नात्मनि, ध्येये फलमुपदर्शयन्नाह —
टीका — भिन्नात्मानमाराधकात् पृथग्भूतमात्मानमर्हत्सिद्धरूपं उपास्याराध्य आत्मा आराधकः पुरुषः परः परमात्मा भवति तादृशोऽर्हत्सिद्धस्वरूपसदृशः । अत्रैवार्थे दृष्टान्तमाह वर्तिरित्यादि । दीपाद्भिन्ना वर्तिर्यथा दीपमुपास्य प्राप्य तादृशी भवति दीपरूपा भवति ।।९७।।
જેમ જેમ સહજ પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયોથી રુચિ હઠતી જાય છે – ઘટતી જાય છે, તેમ તેમ શુદ્ધ આત્મસ્વરૂપ સ્વાનુભવમાં આવતું જાય છે – સ્વસંવેદનનો વિષય બનતો જાય છે.૧ ૯૬.
જેમાં ચિત્ત લીન થાય છે, તે ધ્યેય ભિન્ન તથા અભિન્ન (એમ બે પ્રકારે) હોય છે; ત્યાં ભિન્નાત્મરૂપ ધ્યેયનું ફલ દર્શાવી કહે છેઃ —
અન્વયાર્થ : — (आत्मा) આત્મા (भिन्नात्मानं) પોતાનાથી ભિન્ન આત્માની (उपास्य) ઉપાસના કરીને (तादृशः) તેના સમાન (परः भवति) પરમાત્મા થાય છે. (यथा) જેમ (भिन्नावर्तिः) દીપકથી ભિન્ન બત્તી (વાટ) (दीपं उपास्य) દીપકની ઉપાસના કરીને (તેને પામીને) (तादृशी) તેના જેવી – દીપકસ્વરૂપ (भवति) થઈ જાય છે તેમ.
ટીકા : — ભિન્ન આત્માની એટલે આરાધકથી પૃથક્ભૂત અર્હત્ સિદ્ધરૂપ આત્માની ઉપાસના કરી – આરાધના કરી, આત્મા એટલે આરાધક પુરુષ, તેવો એટલે અર્હત્ – સિદ્ધસ્વરૂપ સમાન, પર એટલે પરમાત્મા થાય છે. અહીં તે જ અર્થનું દ્રષ્ટાન્ત કહે છે – વાટ ઇત્યાદિ – १. यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि ।