Samadhitantra (Gujarati). Gatha: 99.

< Previous Page   Next Page >


Page 153 of 170
PDF/HTML Page 182 of 199

 

૧૬૬સમાધિતંત્ર

उक्तमर्थमुपसंहृत्य फलमुपदर्शयन्नाह
इतीदं भावयेन्नित्यमवाचां गोचरं पदम्
स्वत एव तदाप्नोति यतो नावर्तते पुनः ।।९९।।
વિશેષ

સમ્યગ્દ્રષ્ટિ જ્યારે આત્મધ્યાનમાં મગ્ન થઈ જાય છે, ત્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેયએવો ભેદ રહેતો નથી, વચન કે અન્ય વિકલ્પ હોતા નથી. ત્યાં (આત્મધ્યાનમાં) તો આત્મા જ કર્મ, આત્મા જ કર્તા અને આત્માનો ભાવ તે ક્રિયા હોય છેઅર્થાત્ કર્તા, કર્મ અને ક્રિયાતે ત્રણે તદ્દન અખંડ અભિન્ન થઈ જાય છે; શુદ્ધોપયોગની નિશ્ચલ દશા પ્રગટ થાય છે અને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર પણ એકસાથે એકરૂપ થઈને પ્રકાશે છે.

આ શ્લોકમાં આચાર્યદેવે એ બતાવ્યું છે કેપોતાના આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમજી, અર્હંતાદિની ઉપાસનાના રાગથી પરાઙ્મુખ થઈ, સ્વસન્મુખ થઈ જીવ જો પોતાના શુદ્ધાત્માનીપરમ પારિણામિક કારણ પરમાત્માનીજ ઉપાસના કરે તો તે સ્વયં પરમાત્મા થઈ શકે છે. દરેક જીવમાં દ્રવ્યદ્રષ્ટિએ પરમાત્મા થવાની શક્તિ છે. જો તે જિનોપદેશાનુસાર પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરે, તો તે શક્તિને સંપૂર્ણપણે વ્યક્ત કરી પરમાત્મા થઈ શકે. ૯૮.

ઉક્ત અર્થનો ઉપસંહાર કરીને ફલ દર્શાવી કહે છેઃ

શ્લોક ૯૯

અન્વયાર્થ :(इति) ઉક્ત પ્રકારે (इदं) ભેદઅભેદરૂપ આત્મસ્વરૂપની (नित्यं) નિરન્તર (भावयेत्) ભાવના ભાવવી. એમ કરવાથી (तत्) તે (अवाचां गोचरं पदं) અનિર્વચનીય પરમાત્મપદને (स्वतः एव) સ્વતઃ જપોતાની મેળે જ આ જીવ (आप्नोति) પ્રાપ્ત કરે છે. (यतः) જે પદથી (पुनः) ફરીથી તે (न आवर्तते) પાછો આવતો નથી. ૧.જહઁ ધ્યાનધ્યાતાધ્યેય કો ન વિકલ્પ વચભેદ ન જહાઁ,

ચિદ્ભાવ કર્મ, ચિદેશ કરતા, ચેતના કિરિયા તહાઁ;
તીનોં અભિન્ન અખિન્ન શુધ ઉપયોગ કી નિશ્ચલ દશા,
પ્રગટી જહાઁ દ્રગ
જ્ઞાનવ્રત યે તીનધા એકૈ લસા.
(પં. શ્રી દૌલતરામજી કૃત છહઢાલા/૯)
એમ નિરંતર ભાવવું પદ આ વચનાતીત;
પમાય જે નિજથી જ ને પુનરાગમન રહિત. ૯૯.