૧૬૮સમાધિતંત્ર
ननु आत्मनि सिद्धे तस्य तत्पदप्राप्तिः स्यात् न चासौ तत्त्वचतुष्टयात्मकाच्छरीरात्तत्त्वान्तरभूतः सिद्ध इति चार्वाकाः । सदैवात्मा मुक्तः सर्वदा स्वरूपोपलम्भसम्भवादिति सांख्यास्तान् प्रत्याह —
टीका — चित्तत्त्वं चेतनालक्षणं तत्त्वं यदि भूतजं पृथिव्यप्तेजोवायुलक्षणभूतेभ्यो जातं यद्यभ्युपगम्यते तदाऽयत्नसाध्यं निर्वाणं यत्नेन तात्पर्येण साध्यं निर्वाणं न भवति । પરમપદની પ્રાપ્તિ થાય છે. નિમિત્તથી કદી થતી નથી, કેમ કે જ્યાં સુધી નિમિત્ત તરફ લક્ષ હોય ત્યાં સુધી આત્મા તરફ લક્ષ વળતું નથી.
પરમાત્મા થવાની શક્તિ પોતાનામાં મોજૂદ છે. તે શક્તિનું સમ્યક્ પ્રકારે શ્રદ્ધાન – જ્ઞાન કરી, આત્મસન્મુખ થઈ તેને પ્રગટ કરવાનો અવિરત પ્રયત્ન કરવામાં આવે તો પરમપદની પ્રાપ્તિ અવશ્ય થાય. ૯૯.
આત્મા છે એવું સિદ્ધ હોય, તો તેને તે પદની પ્રાપ્તિ સંભવે, પણ તે (આત્મા) ચાર તત્ત્વોના સમૂહરૂપ શરીરથી ભિન્ન અન્ય તત્ત્વરૂપ સિદ્ધ થતો નથી એવું ચાર્વાકો માને છે; અને સર્વદા સ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોવાથી સદાય મુક્ત છે – એવો સાંખ્યમત છે. તેમના પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : — (चित्तत्वं) ચેતના લક્ષણવાળો આ જીવ (यजि भूतजम्) જો ભૂત – ચતુષ્ટયથી ઉત્પન્ન થયેલા હોય, તો (निर्वाणं) મોક્ષ (अयत्नसाध्यं) યત્ન સાધવા યોગ્ય રહે નહિ, (अन्यथा) અથવા (योगतः) યોગથી એટલે શારીરિક યોગક્રિયાથી (निर्वाणं) નિર્વાણની પ્રાપ્તિ થાય, તો (तस्मात्) તેનાથી (योगिनां) યોગીઓને (क्वचित्) કોઈ પણ અવસ્થામાં (दुःखं न) દુઃખ હોય નહિ.
ટીકા : — ચિત્તત્વ એટલે ચેતનાસ્વરૂપ તત્ત્વ જો ભૂત જ હોય અર્થાત્ પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે, તો નિર્વાણ અયત્નસાધ્ય રહે