Samadhitantra (Gujarati). Gatha: 104.

< Previous Page   Next Page >


Page 163 of 170
PDF/HTML Page 192 of 199

 

૧૭૬સમાધિતંત્ર

तेषां शरीरयंत्राणामात्मन्यारोपाऽनारोपौ कृत्वा जडविवेकिनौ किं कुर्वंत इत्याह
तान्यात्मनि समारोप्य साक्षाण्यास्तेऽसुखं जडः
त्यक्त्वाऽरोपं पुनर्विद्वान् प्राप्नोति परमं पदम् ।।१०४।।

टीकातानि शरीरयंत्राणि साक्षाणि इंद्रियसहितानि आत्मनि समारोप्य गौरोऽहं સ્વભાવથી જ ઊપજે છે, કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી સર્વ દ્રવ્યોને, નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ.....’’

‘‘.......વળી પર્યાયમાં જીવપુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે; તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે, પણ આ જીવની ક્રિયા છે તેમાં પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે, એમ (અજ્ઞાનીને ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી........’’

માટે જીવની ક્રિયાથી શરીરની ચાલવાની તથા ઊભા રહેવાની વગેરે ક્રિયા થતી માનવી તે ભ્રમ છે. ૧૦૩.

તે શરીરયંત્રોનો આત્મામાં આરોપ અને અનારોપ કરીને જડ (અજ્ઞાની) અને વિવેકી પુરુષો શું કરે છે? તે કહે છેઃ

શ્લોક ૧૦૪

અન્વયાર્થ :(जडः) અજ્ઞાની બહિરાત્મા (साक्षाणि) ઇન્દ્રિયો સહિત (तानि) તે શરીરયંત્રોને (आत्मनि समारोप्य) આત્મામાં આરોપી (असुखं आस्ते) દુઃખી થાય છે. (पुनः) કિન્તુ (विद्वान्) જ્ઞાની અંતરાત્મા (आरोपं त्यक्त्वा) શરીરાદિકમાં આત્માનો આરોપ (આત્માની કલ્પના) છોડી (परमं पदं) પરમ પદનેમોક્ષને (प्राप्नोति) પ્રાપ્ત કરે છે.

ટીકા :તે અક્ષ સહિત એટલે ઇન્દ્રિયો સહિત શરીરયંત્રોને આત્મામાં આરોપીને ૧. શ્રી સમયસાર ગુ. આવૃત્તિગા. ૩૭૨ ટીકા. ૨. મોક્ષમાર્ગ પ્રકાશકગુ. આવૃત્તિ પૃ. ૨૩૦.

જડ નિજમાં તનયંત્રને આરોપી દુખી થાય;
સુજ્ઞ તજી આરોપને લહે પરમપદ-લાભ. ૧૦૪.