Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 164 of 170
PDF/HTML Page 193 of 199

 

સમાધિતંત્ર૧૭૭

सुलोचनोऽहं स्थूलोऽहंमित्याद्यभेदरूपतया आत्मन्यध्यारोप्य जडो बहिरात्मा असुखं सुखं वा यथा भवत्येवमास्ते विद्वानन्तरात्मा पुनः प्राप्नोति किं ? तत्परमं पदं मोक्ष किं कृत्वा ? त्यक्त्वा कं ? आरोपं शरीरादिनामात्मन्यध्यवसायम् ।।१०४।।

कथमसौ तं त्यजतीत्याहअथवा स्वकृतग्रन्थार्थमुपसंहृत्य फलमुपदर्शयन्मुक्त्वेत्याह (શરીરાદિને આત્મા કલ્પી)અર્થાત્ હું ગોરો, હું સુંદર આંખવાળો, હું જાડો ઇત્યાદિ અભેદરૂપપણે (એકતાબુદ્ધિએ) આત્મામાં આરોપીને, જડબહિરાત્મા જેમ અસુખસુખ થાય તેમ વર્તે છે, પરંતુ વિદ્વાનઅન્તરાત્મા પ્રાપ્ત કરે છે. શું? તે પરમપદનેમોક્ષને. શું કરીને? ત્યજીને, શું (ત્યજીને)? શરીરાદિનો આત્મા વિષે જે આરોપ છેઅધ્યવસાય છે તેને (ત્યજીને).

ભાવાર્થ :હું ગોરો, હું સુંદર, હું જાડો ઇત્યાદિરૂપ, શરીરાદિમાં આત્માની અભેદ કલ્પના કરી (આત્મબુદ્ધિ કરી) અજ્ઞાની બહિરાત્મા સુખદુઃખ માને છે, પરંતુ જ્ઞાની અંતરાત્મા આત્મામાં શરીરાદિનો મિથ્યા અભેદઅધ્યવસાયનો ત્યાગ કરી પરમપદનેમોક્ષને પ્રાપ્ત કરે છે.

વિશેષ

અનાદિથી શરીર અને આત્માને સંયોગસંબંધ છે. આ સંબંધને લીધે શરીરના અંગોપાંગની ક્રિયા જોઈ અજ્ઞાનીને ભ્રમ થાય છે કે એ બધી ક્રિયાઓ આત્માની છે, પણ વાસ્તવમાં આત્મા અને શરીર લક્ષણે એકબીજાથી તદ્દન ભિન્ન છે. એક ચેતન અને અરૂપી છે અને બીજું અચેતનજડ અને રૂપી છે. બંને વચ્ચે માત્ર નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, પણ અજ્ઞાની ભ્રમથી નિમિત્તનૈમિત્તિક સંબંધને બદલે કર્તાકર્મ સંબંધ સમજી પોતાને સુખી દુઃખી કલ્પે છે.

જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે. તે શરીરની ક્રિયાઓને આત્માની ક્રિયા માનતો નથી. તેને શરીરમાં આત્મબુદ્ધિએકતાબુદ્ધિ નથી, તેથી શરીરની ક્રિયામાં તેને કર્તા બુદ્ધિ નથી. શરીરાદિમાં કર્તાબુદ્ધિ નહિ હોવાથી તેને હર્ષશોક કે રાગદ્વેષ પણ નથી. તેના અભાવમાં જ્ઞાનીને કર્મનો નવો બંધ થતો નથી. ભેદવિજ્ઞાનના બળે જેમ જેમ વીતરાગતા વધતી જાય છે, તેમ તેમ જૂનાં કર્મ પણ ઉદયમાં આવી નિર્જરી જાય છે. અંતે કર્મોનો સંપૂર્ણપણે અભાવ થતાં પરમ વીતરાગપદની પ્રાપ્તિ થાય છે. ૧૦૪.

તે તેને કેવી રીતે ત્યજે છે તે કહે છેઅથવા પોતાના રચેલા ગ્રન્થના અર્થનો ઉપસંહાર કરીને ફલ દર્શાવતાં. ‘મુક્ત્વા’ એમ કહીને, કહે છેઃ