તેના પર્યાયો સાથેનો સંબંધ માત્ર વ્યવહારનયે સંયોગરૂપ કે નિમિત્તરૂપ છે એવું જ્ઞાન કરાવવામાં આવે છે.
આ દ્રષ્ટિએ પર દ્રવ્યો સાથેનો સંબંધ અસદ્ભૂત – અસત્ય હોવાથી તે સંબંધીનું જ્ઞાન કરાવનારા નયને ‘વ્યવહારનય’ કહેવામાં આવે છે અને જીવના દ્રવ્ય – ગુણ – પર્યાય પોતાના હોવાથી તે સદ્ભૂત – સત્ય હોવાથી તે સંબંધીનું જ્ઞાન કરાવનારા નયને ‘નિશ્ચયનય’ કહેવામાં આવે છે.
પણ પહેલા પ્રકારનું ભેદજ્ઞાન કરવા માત્રથી જ સમ્યગ્દર્શનજ્ઞાન થતું નથી. અનાદિથી જીવનો પર્યાય અશુદ્ધ છે. તેને પોતામાં થતો હોવાની અપેક્ષાએ ‘નિશ્ચયનય’નો વિષય કહે છે, તો પણ તે પરના આશ્રયે થતો હોવાથી તેને વ્યવહારનયનો પણ વિષય કહેવાય છે. વળી શુદ્ધ પર્યાયો પણ જીવનું ત્રિકાલી સ્વરૂપ નથી, તેમ જ તેના આશ્રયે તથા ગુણભેદના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન થાય છે તેથી તેનો આશ્રય છોડાવવા માટે તેને પણ વ્યવહાર કહેવામાં આવે છે અને જીવ દ્રવ્યનું ત્રિકાલી શુદ્ધસ્વરૂપ કે જે ધ્રુવ છે તેને ‘નિશ્ચય’ કહેવામાં આવે છે કેમ કે તેને આશ્રયે જ ધર્મની શરૂઆત – તેનું ટકવું
‘‘.......સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના (પ્રતિબિંબના) સ્થાને છે – જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, તેમના જેવા થઈ જાય છે.....’’
‘‘સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવા ઉચિત છે......’’
વળી શ્રી મોક્ષમાર્ગપ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૩માં સિદ્ધ૨ ભગવાનનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે –
‘‘.......જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય – પરદ્રવ્યનું ઉપાધિક ભાવ તથા ૧. જુઓઃ શ્રી સમયસાર – શ્રી રાયચંદ્ર ગ્રન્થમાળા – શ્રી જયસેનાચાર્ય ટીકા – ગાથા ૫૭; પૃ. ૧૦૧; ગાથા
૨. શ્રી સમયસાર – નવી ગુ. આવૃત્તિ પૃ. ૬, ૭.