Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 199

 

સમાધિતંત્ર

તેના પર્યાયો સાથેનો સંબંધ માત્ર વ્યવહારનયે સંયોગરૂપ કે નિમિત્તરૂપ છે એવું જ્ઞાન કરાવવામાં આવે છે.

આ દ્રષ્ટિએ પર દ્રવ્યો સાથેનો સંબંધ અસદ્ભૂતઅસત્ય હોવાથી તે સંબંધીનું જ્ઞાન કરાવનારા નયને ‘વ્યવહારનય’ કહેવામાં આવે છે અને જીવના દ્રવ્યગુણપર્યાય પોતાના હોવાથી તે સદ્ભૂતસત્ય હોવાથી તે સંબંધીનું જ્ઞાન કરાવનારા નયને ‘નિશ્ચયનય’ કહેવામાં આવે છે.

બીજા પ્રકારનું ભેદજ્ઞાન

પણ પહેલા પ્રકારનું ભેદજ્ઞાન કરવા માત્રથી જ સમ્યગ્દર્શનજ્ઞાન થતું નથી. અનાદિથી જીવનો પર્યાય અશુદ્ધ છે. તેને પોતામાં થતો હોવાની અપેક્ષાએ ‘નિશ્ચયનય’નો વિષય કહે છે, તો પણ તે પરના આશ્રયે થતો હોવાથી તેને વ્યવહારનયનો પણ વિષય કહેવાય છે. વળી શુદ્ધ પર્યાયો પણ જીવનું ત્રિકાલી સ્વરૂપ નથી, તેમ જ તેના આશ્રયે તથા ગુણભેદના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન થાય છે તેથી તેનો આશ્રય છોડાવવા માટે તેને પણ વ્યવહાર કહેવામાં આવે છે અને જીવ દ્રવ્યનું ત્રિકાલી શુદ્ધસ્વરૂપ કે જે ધ્રુવ છે તેને ‘નિશ્ચય’ કહેવામાં આવે છે કેમ કે તેને આશ્રયે જ ધર્મની શરૂઆતતેનું ટકવું

તેની વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે.
સિદ્ધાત્માને નમસ્કાર શા માટે?

‘‘.......સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના (પ્રતિબિંબના) સ્થાને છેજેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, તેમના જેવા થઈ જાય છે.....’’

‘‘સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવા ઉચિત છે......’’

વળી શ્રી મોક્ષમાર્ગપ્રકાશકગુ. આવૃત્તિ પૃ. ૩માં સિદ્ધ ભગવાનનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે

‘‘.......જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્યપરદ્રવ્યનું ઉપાધિક ભાવ તથા ૧. જુઓઃ શ્રી સમયસારશ્રી રાયચંદ્ર ગ્રન્થમાળાશ્રી જયસેનાચાર્ય ટીકાગાથા ૫૭; પૃ. ૧૦૧; ગાથા

૧૦૨, પૃ. ૧૬૭; ગાથ ૧૧૧ થી ૧૧૫, પૃ. ૧૭૯; ગાથા ૧૩૭૧૩૮, પૃ. ૧૯૮ (ગુ. દ્રવ્યસંગ્રહ
પૃ. ૮, ૯).

૨. શ્રી સમયસારનવી ગુ. આવૃત્તિ પૃ. ૬, ૭.