Samadhitantra (Gujarati). Gatha: 2.

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 199

 

સમાધિતંત્ર
जयन्ति यस्यावदतोऽपि भारतीविभूतयस्तीर्थकृतोप्यनीहितुः
शिवाय धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ।।।।

टीकायस्य भगवतो जयन्ति सर्वोत्कर्षेण वर्तन्ते काः ? भारतीविभूतयः भारत्याः वाण्याः विभूतयो बोधितसर्वात्महितत्वादिसम्पदः कथंभूतस्यापि जयन्ति ? अवदतोऽपि ताल्वोष्ठपुटव्यापारेण वचनमनुच्चारयतोऽपि उक्तं च

‘‘यत्सर्वात्महितं न वर्णसहितं न स्पंदितोष्ठद्वयं,
नो वांछाकलितं न दोषमलिनं न श्वासरुद्धक्रमं
શ્લોક ૨

અન્વયાર્થ :(यस्य अनीहितुः अपि) જેમને ઇચ્છા પણ નથી, (अवदतः अपि) જેમને તાલુ, ઓષ્ઠાદિદ્વારા શબ્દોચ્ચારણ પણ નથી, (तीर्थकृतः) જેઓ તીર્થના કરનાર છે અને જેમની (भारतीविभूतयः) વાણીની (સર્વ પ્રાણીઓને હિત ઉપદેશવારૂપ) વિભૂતિઓ (जयन्ति) જયવંત વર્તે છે, (तस्मै) તે (शिवाय) શિવને (धात्रे) વિધાતાનેબ્રહ્માને, (सुगताय) સુગતને, (विष्णवे) વિષ્ણુને, (जिनाय) જિનને અને (सकलात्मने) સશરીર શુદ્ધાત્માને (અરહંત પરમાત્માને) (नमः) નમસ્કાર હો.

ટીકા : જે ભગવાનની જયવંત વર્તે છે અર્થાત્ સર્વોત્કર્ષરૂપે વર્તે છેશું (જયવંત વર્તે છે)? ભારતીની વિભૂતિઓભારતીની એટલે વાણીની અને વિભૂતિઓ એટલે સર્વ આત્માઓને હિતનો ઉપદેશ દેવો ઇત્યાદિરૂપ સંપદાઓ(જયવંત વર્તે છે).

કેવા હોવા છતાં (તેમની વાણીની વિભૂતિઓ) જયવંત વર્તે છે? નહિ બોલતા હોવા છતાં અર્થાત્ તાલુઓષ્ઠના સંપુટરૂપ (સંયોગસમ) વ્યાપારદ્વારા વચનોચ્ચાર કર્યા વિના પણ (તેમની વાણી પ્રવર્તે છે).

વળી કહ્યું છે કે

‘‘જે સર્વ આત્માઓને હિતરૂપ છે, વર્ણરહિત નિરક્ષરી છે, બંને હોઠના પરિસ્પંદન

બોલ્યા વિણ પણ ભારતી-ૠદ્ધિ જ્યાં જયવંત,
ઇચ્છા વિણ પણ જેહ છે તીર્થંકર ભગવંત,
વંદું તે સકલાત્મને શ્રી તીર્થેશ જિનેશ,
સુગત તથા જે વિષ્ણુ છે, બ્રહ્મા તેમ મહેશ. ૨.