Samadhitantra (Gujarati). Gatha: 3.

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 199

 

૧૦સમાધિતંત્ર

ननु निष्कलेतररूपमात्मानं नत्वा भवान् किं करिष्यतीत्याह

श्रुतेन लिंगेन यथात्मशक्ति समाहितान्तः करणेन सम्यक्

समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये ।।।। પોતાના જ્ઞાનની યોગ્યતાનુસાર સમજે છે. તે નિરક્ષર ધ્વનિને ‘ૐકાર ધ્વનિ’ કહે છે. શ્રોતાઓના કર્ણપ્રદેશ સુધી તે ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી તે અનક્ષર જ છે અને જ્યારે તે શ્રોતાઓના કર્ણો વિષે પ્રાપ્ત થાય છે ત્યારે તે અક્ષરરૂપ થાય છે.

‘‘.......જેમ સૂર્યને એવી ઇચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું પરંતુ સ્વાભાવિક જ તેનાં કિરણો ફેલાય છે, જેથી માર્ગનું પ્રકાશન થાય છે. તે જ પ્રમાણે શ્રી વીતરાગ કેવલી ભગવાનને એવી ઇચ્છા નથી કે અમે મોક્ષમાર્ગને પ્રકાશિત કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ અઘાતિકર્મના ઉદયથી તેમનાં શરીરરૂપ પુદ્ગલો દિવ્યધ્વનિરૂપ પરિણમે છે, જેનાથી મોક્ષમાર્ગનું સહજ પ્રકાશન થાય છે.....’’

ભગવાનની દિવ્ય ધ્વનિ દ્રવ્યશ્રુત વચનરૂપ છે. તે સરસ્વતીની મૂર્તિ છે, કારણ કે વચનોદ્વારા અનેક ધર્મવાળા આત્માને તે પરોક્ષ બતાવે છે. કેવળજ્ઞાન અનંત ધર્મસહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે, તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ અને વચનરૂપ અનેકાન્તમયી સરસ્વતીની મૂર્તિ છે. સરસ્વતીનાં વાણી, ભારત, શારદા, વાગ્દેવી ઇત્યાદિ ઘણાં નામ છે.૨.

નિષ્કલથી અન્યરૂપ આત્માને (નિષ્કલ નહિ એવા સકલ આત્માને) નમસ્કાર કરીને આપ શું કરશો? તે કહે છે

શ્લોક ૩

અન્વયાર્થ : (अथ) હવે પરમાત્માને નમસ્કાર કર્યા બાદ (अहं) હુંપૂજ્યપાદ ૧. જુઓઃ ગોમ્મટસારજીવકાંડ ગાથા ૨૨૭ની ટીકા. ૨. જુઓઃ મોક્ષમાર્ગપ્રકાશકગુ. આવૃત્તિ પૃ. ૨૨ ૩. જુઓઃ શ્રી સમયસારગુ. આવૃત્તિ પૃ. ૪.

આગમથી ને લિંગથી, આત્મશક્તિ અનુરૂપ,
હૃદય તણા ઐકાર્ગ્ય્રાથી સમ્યક્ વેદી સ્વરૂપ,
મુક્તિસુખ-અભિલાષીને કહીશ આતમરૂપ,
પરથી, કર્મકલંકથી, જેહ વિવિક્તસ્વરૂપ. ૩.