Samadhitantra (Gujarati). Gatha: 4.

< Previous Page   Next Page >


Page 1 of 170
PDF/HTML Page 30 of 199

 

૧૪સમાધિતંત્ર कस्योपादानं कस्य वा त्यागः कर्तव्य इत्याशंक्याह

बहिरन्तः परश्चेति त्रिधात्मा सर्वदेहिषु
उपेयात्तत्र परमं मध्योपायाद्बहिस्त्यजेत् ।।।।

टीकाबहिर्बहिरात्मा, अन्तः अन्तरात्मा, परश्च परमात्मा इति त्रिधा आत्मा त्रिप्रकार आत्मा क्वा ? सर्वदेहिषु सकलप्राणिषु ननु अभव्येषु बहिरात्मन एव सम्भवात् कथं सर्वदेहिषु त्रिधात्मा स्यात् ? इत्यप्यनुपपन्नं, तत्रापि द्रव्यरूपतया त्रिधात्मसद्भावोपपत्तेः कथं पुनस्तत्र એ આત્માના ભેદોમાં શા વડે કોનું ગ્રહણ અને કોનો ત્યાગ કરવા યોગ્ય છે? એવી આશંકા કરી કહે છે

શ્લોક ૪

અન્વયાર્થ : (सर्वदेहिषु) સર્વ પ્રાણીઓમાં (बहिः) બહિરાત્મા, (अन्त) અન્તરાત્મા (च परः) અને પરમાત્મા (इति) એમ (त्रिधा) ત્રણ પ્રકારે (आत्मा अस्ति) આત્મા છે. (तत्र) તેમાં (मध्योपायात्) અંતરાત્માના ઉપાયદ્વારા (परमं) પરમાત્માને (उपेयात्) અંગીકાર કરવો જોઈએ અને (बहिः) બહિરાત્માને (त्यजेत्) છોડવો જોઈએ.

ટીકા : બહિઃ એટલે બહિરાત્મા, અંતઃ એટલે અંતરાત્મા અને પરઃ એટલે પરમાત્માએમ ત્રિધા એટલે ત્રણ પ્રકારે આત્મા છે. તે (પ્રકારો) શામાં છે? સર્વ દેહીઓમાંસકલ પ્રાણીઓમાં.

અભવ્યોમાં બહિરાત્માનો જ સંભવ હોવાથી સર્વ દેહીઓમાં ત્રણ પ્રકારનો આત્મા છે એમ કેવી રીતે હોઈ શકે?

એમ કહેવું પણ યોગ્ય નથી કારણ કે ત્યાં પણ (અભવ્યમાં પણ) દ્રવ્યરૂપપણાથી ત્રણ પ્રકારના આત્માનો સદ્ભાવ ઘટે છે. વળી ત્યાં પાંચ જ્ઞાનાવરણ (કર્મો)ની ઉપપત્તિ કેવી तिपयारो सो अप्पा परमंतरबाहिरो हु देहीणं

तत्थ परो झाइज्जइ अंतोवाएण चयहि बहिरप्पा ।।
मोक्षप्राभृते, कुन्दकुन्दः
આત્મ ત્રિધા સૌ દેહીમાંબાહ્યાંતર-પરમાત્મ;
મધ્યોપાયે પરમને ગ્રહો, તજો બહિરાત્મ. ૪.