पंचज्ञानावरणान्युपपद्यन्ते ? केवलज्ञानाद्याविर्भावसामग्री हि तत्र कदापि न भविष्यतित्यभव्यत्वं, न पुनः तद्योग्यद्रव्यस्याभावादिति । भव्यराश्यपेक्षया वा सर्वदेहिग्रहणं । आसन्नदूरदूरतरभव्येषु भव्यसमानअभव्येषु च सर्वेषु त्रिधाऽऽत्मा विद्यत इति । तर्हि सर्वज्ञे परमात्मन एव सद्भावाद्बहिरन्तरात्मोरभावात्त्रिधात्मनो विरोध इत्यप्ययुक्तम् । भूतपूर्वप्रज्ञापननयापेक्षया तत्र तद्विरोधासिद्धेः घृतघटवत् । यो हि सर्वज्ञावस्थायां परमात्मा सम्पन्नः स पूर्वबहिरात्मा अन्तरात्मा चासीदिति । घृतघटवदन्तरात्मनोऽपि बहिरात्मत्वं परमात्मत्वं च भूतभाविप्रज्ञापन – नयापेक्षया दृष्टव्यम् । तत्र कुतः कस्योपादानं कस्य वात्यागः कर्तव्य इत्याह – उपेयादिति । तत्र तेषु त्रिधात्मसु मध्ये उपेयात् स्वीकुर्यात् । परमं परमात्मानं । कस्मात् ? मध्योपायात् मध्योऽन्तरात्मा स एवोपायस्तस्मात् । तथा बहिः बहिरात्मानं मध्योपायादेव त्यजेत् ।।४।। રીતે ઘટી શકે? કેવલજ્ઞાનાદિના પ્રગટ થવારૂપ સામગ્રી જ તેમને કદાપિ થવાની નથી તેથી તેમનામાં અભવ્યપણું છે, પણ નહિ કે તદ્યોગ્ય દ્રવ્યના અભાવથી (અભવ્યપણું છે); અથવા ભવ્યરાશિની અપેક્ષાએ સર્વ દેહીઓનું ગ્રહણ સમજવું. આસન્ન ભવ્ય, દૂર ભવ્ય, દૂરતર ભવ્યમાં તથા અભવ્ય જેવા ભવ્યોમાં – સર્વેમાં ત્રણ પ્રકારનો આત્મા છે.
તો સર્વજ્ઞમાં પરમાત્માનો જ સદ્ભાવ હોવાથી અને (તેમાં) બહિરાત્માનો અને અંતરાત્માનો અસદ્ભાવ હોવાથી તેમાં (સિદ્ધમાં) ત્રણ પ્રકારના આત્માનો વિરોધ આવશે?
એમ કહેવું પણ યોગ્ય નથી, કારણ કે ભૂતપૂર્વ૧ પ્રજ્ઞાપન – નયની અપેક્ષાએ તેમાં ઘૃતઘટવત્ તે વિરોધની અસિદ્ધિ છે (તેમાં વિરોધ આવતો નથી). જે સર્વજ્ઞ અવસ્થામાં પરમાત્મા થયા, તે પૂર્વે બહિરાત્મા તથા અંતરાત્મા હતા.
ઘૃતઘટની જેમ ભૂત – ભાવિ પ્રજ્ઞાપન – નયની અપેક્ષાએ અંતરાત્માને પણ બહિરાત્મપણું અને પરમાત્મપણું સમજવું.
એ ત્રણેમાંથી કોનું શા વડે ગ્રહણ કરવું કે કોનો ત્યાગ કરવો તે કહે છે. ગ્રહણ કરવું એટલે તેમાં તે ત્રણ પ્રકારના આત્માઓને વિષે પરમાત્માનો સ્વીકાર (ગ્રહણ) કરવો. કેવી રીતે? મધ્ય ઉપાયથી – મધ્ય એટલે અન્તરાત્મા તે જ ઉપાય છે તે દ્વારા (પરમાત્માનું ગ્રહણ કરવું) તથા મધ્ય (અંતરાત્મારૂપ) ઉપાયથી જ બહિરાત્માનો ત્યાગ કરવો. (૪)
ભાવાર્થ : સર્વે જીવોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા – એ ત્રણ પ્રકારની ૧. જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ કહે તે જ્ઞાનને (અથવા વચનને) ભૂતનૈગમનય (અથવા