Samadhitantra (Gujarati). Gatha: 6.

< Previous Page   Next Page >


Page 8 of 170
PDF/HTML Page 37 of 199

 

સમાધિતંત્ર૨૧

तद्वाचिकां नाममालां दर्शयन्नाह

निर्मलः केवलः शुद्धो विविक्तः प्रभुरव्ययः
परमेष्ठी परात्मेति परमात्मेश्वरो जिनः ।।।।

टीकानिर्मलः कर्ममलरहितः केवलः शरीरादिनां सम्बन्धरहितः शुद्धः द्रव्यभावकर्मणामभावात् परमविशुद्धिसमन्वितः विविक्तः शरीरकर्मादिभिरसंस्पृष्टः प्रभुरिन्द्रादीनां स्वामी अव्ययो लब्धानंतचतुष्टयस्वरूपादप्रच्युतः परमेष्ठी परमे इन्द्रादिवंद्ये पदे तिष्ठतीति परमेष्ठी થઈને તેમાં એકાગ્ર થાય તો તે જ્ઞાન-આનંદનો સ્વાદ અનુભવમાં આવે. આત્માથી ભિન્ન બાહ્ય વિષયોમાં ક્યાંય આત્માનો આનંદ નથી. ધર્માત્મા પોતાના આત્મા સિવાય બહારમાં ક્યાંયસ્વપ્નમાં ય આનંદ માનતો નથી. આવો અંતરાત્મા પોતાના અંતરસ્વરૂપમાં એકાગ્ર થઈને પરિપૂર્ણ જ્ઞાન આનંદ પ્રગટ કરીને પોતે જ પરમાત્મા થાય છે......’’ ‘આત્મધર્મ’માંથી)

પરમાત્માનાં નામવાચક નામાવલિ દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૬

અન્વયાર્થ : (निर्मलः) નિર્મળમલ રહિત, (केवलः) કેવળશરીરાદિ પર દ્રવ્યના સંબંધથી રહિત, (शुद्धः) શુદ્ધરાગાદિથી અત્યંત ભિન્ન થઈ ગયા હોવાથી પરમ વિશુદ્ધિવાળા, (विविक्तः) વિવિક્તશરીર અને કર્માદિકના સ્પર્શથી રહિત, (प्रभुः) પ્રભુઇન્દ્રાદિકના સ્વામી, (अव्ययः) અવ્યયપોતાના અનંતચતુષ્ટયરૂપ સ્વભાવથી ચ્યુત નહિ થવાવાળા, (परमेष्ठी) પરમેષ્ઠીઇન્દ્રાદિથી વન્દ્ય પરમ પદમાં સ્થિત, (परात्मा) પરાત્માસંસારી જીવોથી ઉત્કૃષ્ટ આત્મા, (ईश्वरः) ઈશ્વરઅન્ય જીવોમાં અસંભવ એવી વિભૂતિના ધારકઅર્થાત્ અંતરંગ અનંતચતુષ્ટય અને બાહ્ય સમવસરણાદિ વિભૂતિથી યુક્ત, (जिनः) જિનજ્ઞાનાવરણાદિ સંપૂર્ણ કર્મશત્રુઓને જીતનાર (इति परमात्मा)એ પરમાત્માનાં નામ છે.

ટીકા : નિર્મલ એટલે કર્મમલરહિત, કેવલ એટલે શરીરાદિના સંબંધરહિત, શુદ્ધ એટલે દ્રવ્યકર્મભાવકર્મના અભાવના કારણે પરમ વિશુદ્ધિવાળા, વિવિક્ત એટલે શરીર કર્માદિથી નહિ સ્પર્શાયેલા, પ્રભુ એટલે ઇન્દ્રાદિના સ્વામી, અવ્યય એટલે પ્રાપ્ત થયેલ અનંતચતુષ્ટયમય સ્વરૂપથી ચ્યુત (ભ્રષ્ટ) નહિ થયેલા, પરમેષ્ઠી એટલે પરમ અર્થાત્ ઇન્દ્રાદિથી

નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ, વિવિક્ત, પરાત્મ,
ઇશ્વર, પરમેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. ૬.