तद्वाचिकां नाममालां दर्शयन्नाह —
टीका – निर्मलः कर्ममलरहितः । केवलः शरीरादिनां सम्बन्धरहितः । शुद्धः द्रव्यभावकर्मणामभावात् परमविशुद्धिसमन्वितः । विविक्तः शरीरकर्मादिभिरसंस्पृष्टः । प्रभुरिन्द्रादीनां स्वामी । अव्ययो लब्धानंतचतुष्टयस्वरूपादप्रच्युतः । परमेष्ठी परमे इन्द्रादिवंद्ये पदे तिष्ठतीति परमेष्ठी થઈને તેમાં એકાગ્ર થાય તો તે જ્ઞાન-આનંદનો સ્વાદ અનુભવમાં આવે. આત્માથી ભિન્ન બાહ્ય વિષયોમાં ક્યાંય આત્માનો આનંદ નથી. ધર્માત્મા પોતાના આત્મા સિવાય બહારમાં ક્યાંય – સ્વપ્નમાં ય આનંદ માનતો નથી. આવો અંતરાત્મા પોતાના અંતરસ્વરૂપમાં એકાગ્ર થઈને પરિપૂર્ણ જ્ઞાન આનંદ પ્રગટ કરીને પોતે જ પરમાત્મા થાય છે......’’ ‘આત્મધર્મ’માંથી)
પરમાત્માનાં નામ – વાચક નામાવલિ દર્શાવતાં કહે છેઃ –
અન્વયાર્થ : (निर्मलः) નિર્મળ – મલ રહિત, (केवलः) કેવળ – શરીરાદિ પર દ્રવ્યના સંબંધથી રહિત, (शुद्धः) શુદ્ધ – રાગાદિથી અત્યંત ભિન્ન થઈ ગયા હોવાથી પરમ વિશુદ્ધિવાળા, (विविक्तः) વિવિક્ત – શરીર અને કર્માદિકના સ્પર્શથી રહિત, (प्रभुः) પ્રભુ – ઇન્દ્રાદિકના સ્વામી, (अव्ययः) અવ્યય – પોતાના અનંતચતુષ્ટયરૂપ સ્વભાવથી ચ્યુત નહિ થવાવાળા, (परमेष्ठी) પરમેષ્ઠી – ઇન્દ્રાદિથી વન્દ્ય પરમ પદમાં સ્થિત, (परात्मा) પરાત્મા – સંસારી જીવોથી ઉત્કૃષ્ટ આત્મા, (ईश्वरः) ઈશ્વર – અન્ય જીવોમાં અસંભવ એવી વિભૂતિના ધારક – અર્થાત્ અંતરંગ અનંતચતુષ્ટય અને બાહ્ય સમવસરણાદિ વિભૂતિથી યુક્ત, (जिनः) જિન – જ્ઞાનાવરણાદિ સંપૂર્ણ કર્મશત્રુઓને જીતનાર (इति परमात्मा) — એ પરમાત્માનાં નામ છે.
ટીકા : નિર્મલ એટલે કર્મમલરહિત, કેવલ એટલે શરીરાદિના સંબંધરહિત, શુદ્ધ એટલે દ્રવ્યકર્મ – ભાવકર્મના અભાવના કારણે પરમ વિશુદ્ધિવાળા, વિવિક્ત એટલે શરીર – કર્માદિથી નહિ સ્પર્શાયેલા, પ્રભુ એટલે ઇન્દ્રાદિના સ્વામી, અવ્યય એટલે પ્રાપ્ત થયેલ અનંતચતુષ્ટયમય સ્વરૂપથી ચ્યુત (ભ્રષ્ટ) નહિ થયેલા, પરમેષ્ઠી એટલે પરમ અર્થાત્ ઇન્દ્રાદિથી