तच्च प्रतिपद्यमानो मनुष्यादिचतुर्गतिसम्बन्धिशरीराभेदेन प्रतिपद्यते तत्र —
અને તેનું પ્રતિપાદન કરી મનુષ્યાદિ ચતુર્ગતિ સંબંધી શરીરભેદથી જીવભેદનું તેમાં પ્રતિપાદન કરે છે.
અન્વયાર્થ : (अविद्वान्) મૂઢ બહિરાત્મા (नरदेहस्थ) મનુષ્યદેહમાં રહેલા (आत्मानं) આત્માને (नरम्) મનુષ્ય, (तिर्यङ्गस्थं) તિર્યંચના શરીરમાં રહેલા આત્માને (तिर्यंचम्) તિર્યંચ, (सुरांङ्गस्थं) દેવના શરીરમાં રહેલા આત્માને (सुरं) દેવ (तथा) અને........
અન્વયાર્થ : (नारकांङ्गस्थं) નારકીના શરીરમાં રહેલા આત્માને (नारकं) નારકી (मन्यते) માને છે. (तत्त्वतः) વાસ્તવિક રીતે (स्वयं) સ્વયં આત્મા (तथा न) તેવો નથી – અર્થાત્ તે મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકીરૂપ નથી; પરંતુ વાસ્તવિક રીતે આ આત્મા (अनंतांतधीशक्ति) અનંતાનંત જ્ઞાન અને અનંતાનંત શક્તિ (વીર્ય) રૂપ છે, (स्वसंवेद्यः) સ્વાનુભવગમ્ય છે – પોતાના અનુભવગોચર છે અને (अचलस्थितिः) પોતાના સ્વરૂપમાં સદા નિશ્ચલ – સ્થિર રહેવાવાળો છે....... ✽