Samadhitantra (Gujarati). Gatha: 10.

< Previous Page   Next Page >


Page 15 of 170
PDF/HTML Page 44 of 199

 

૨૮સમાધિતંત્ર

स्वदेहे एवमध्यवसायं कुर्वाणो बहिरात्मा परदेहे कथंभूतं करोतीत्याह

स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम्
परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ।।१०।।

टीकाव्यापारव्याहाराकारादीना स्वदेहसदृशं परदेहं दृष्ट्वा कथंम्भूतं ? परात्मनाधिष्ठितं कर्मवशात्स्वीकृतं अचेतनं चेतनेन संगतं मूढो बहिरात्मा परत्वेन परात्मत्वेन अध्यवस्यति ।।१०।। કર્મનિમિત્તથી ઔપાધિકભાવ છે; વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે; શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુનું પલટાવું નાના પ્રકારરૂપ થયા કરે છે. એ સર્વ પુદ્ગલની અવસ્થાઓ છે, પરંતુ તે સર્વને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. તેને સ્વભાવપરભાવનો વિવેક થઈ શકતો નથી.’’

સ્વદેહમાં આવો અધ્યવસાય કરનાર બહિરાત્મા પરદેહમાં કેવો અધ્યવસાય કરે છે, તે કહે છે

શ્લોક ૧૦

અન્વયાર્થ : (मूढः) અજ્ઞાની બહિરાત્મા, (परमात्माधिष्ठितं) બીજાના આત્મા સાથે રહેલા (अचेतनं) અચેતનચેતનારહિત (परदेहं) બીજાના શરીરને, (स्वदेहसदृशं) પોતાના શરીર સમાન (दृष्ट्वा) જોઈને (परत्वेन) બીજાના આત્મારૂપે (अध्यवस्यति) માને છે.

ટીકા : વ્યાપાર, વ્યાહાર (વાણી, વચન) આકારાદિવડે પરદેહને પોતાના દેહ સમાન જોઈનેકેવો (જોઈને)? કર્મવશાત્ બીજાના આત્માથી અધિષ્ઠિતસ્વીકૃત અચેતન (પરના દેહને) ચેતનાયુક્ત જોઈને બહિરાત્મા તેને (દેહને) પરપણારૂપઅર્થાત્ પરના આત્મારૂપે માને છે.

णियदेहसरिच्छं पिच्छिऊ ण परविग्गहं पयत्तेण
अच्चेयणं पि गहियं झाइज्जइ परमभावेण ।।।।मोक्षप्राभृते, कुन्दकुन्दाचार्यः
स्वशरीरमिवान्विध्य पराङ्गच्युतचेतनम्
परमात्मानमज्ञानी परबुद्धयाऽध्यवस्यति ।।३२१५।।ज्ञानार्णवे, शुभचन्द्रः

૧. મોક્ષમાર્ગપ્રકાશક ગુ. આવૃત્તિપૃ. ૪૨.

નિજ શરીર સમ દેખીને પરજીવયુક્ત શરીર,
માને તેને આતમા, બહિરાતમ મૂઢ જીવ. ૧૦.