૨૮સમાધિતંત્ર
स्वदेहे एवमध्यवसायं कुर्वाणो बहिरात्मा परदेहे कथंभूतं करोतीत्याह –
टीका — व्यापार – व्याहाराकारादीना स्वदेहसदृशं परदेहं दृष्ट्वा । कथंम्भूतं ? परात्मनाधिष्ठितं कर्मवशात्स्वीकृतं अचेतनं चेतनेन संगतं । मूढो बहिरात्मा परत्वेन परात्मत्वेन अध्यवस्यति ।।१०।। કર્મનિમિત્તથી ઔપાધિકભાવ છે; વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે; શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુનું પલટાવું નાના પ્રકારરૂપ થયા કરે છે. એ સર્વ પુદ્ગલની અવસ્થાઓ છે, પરંતુ તે સર્વને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. તેને સ્વભાવ – પરભાવનો વિવેક થઈ શકતો નથી.’’૧ ૮ – ૯
સ્વદેહમાં આવો અધ્યવસાય કરનાર બહિરાત્મા પરદેહમાં કેવો અધ્યવસાય કરે છે, તે કહે છે –
અન્વયાર્થ : (मूढः) અજ્ઞાની બહિરાત્મા, (परमात्माधिष्ठितं) બીજાના આત્મા સાથે રહેલા (अचेतनं) અચેતન – ચેતનારહિત (परदेहं) બીજાના શરીરને, (स्वदेहसदृशं) પોતાના શરીર સમાન (दृष्ट्वा) જોઈને (परत्वेन) બીજાના આત્મારૂપે (अध्यवस्यति) માને છે.
ટીકા : વ્યાપાર, વ્યાહાર (વાણી, વચન) આકારાદિવડે પરદેહને પોતાના દેહ સમાન જોઈને – કેવો (જોઈને)? કર્મવશાત્ બીજાના આત્માથી અધિષ્ઠિત – સ્વીકૃત અચેતન (પરના દેહને) ચેતનાયુક્ત જોઈને બહિરાત્મા તેને (દેહને) પરપણારૂપ – અર્થાત્ પરના આત્મારૂપે માને છે. ✽
૧. મોક્ષમાર્ગપ્રકાશક ગુ. આવૃત્તિ – પૃ. ૪૨.