एवंविधाध्यवसायात्किं भवीत्याह –
टीका – विभ्रमो विपर्यासः पुंसां वर्तते ? किं विशिष्टानां ? अविदितात्मनां अपरिज्ञातात्मस्वरूपाणां । केन कृत्वाऽसौ वर्तते ? स्वपराध्यवसायेन । क्व ? देहेषु । कथम्भूतो
ભાવાર્થ : અજ્ઞાની બહિરાત્મા, જેવી રીતે પોતાના શરીરને પોતાનો આત્મા માને છે તેવી રીતે બીજાના (સ્ત્રી – પુત્ર – મિત્રાદિકના) અચેતન શરીરને તેમનો (સ્ત્રી – પુત્ર – મિત્રાદિકનો આત્મા) માને છે.
જેમ પોતાના શરીરનો નાશ થતાં, બહિરાત્મા પોતાનો નાશ સમજે છે, તેમ સ્ત્રી – પુત્ર – મિત્રાદિના શરીરનો નાશ થતાં તે તેમના આત્માનો નાશ સમજે છે. એમ તે પોતાના શરીરમાં આત્મબુદ્ધિ – આત્મકલ્પના – કરી દુઃખી થાય છે, અને બીજાઓ પણ શરીરની પ્રતિકૂળતાના કારણે દુઃખી થાય છે એમ માને છે. ૧૦.
એવા પ્રકારના અધ્યવસાયથી શું થાય છે તે કહે છે —
અન્વયાર્થ : (अविदितात्मनां पुंसां) આત્માના સ્વરૂપથી અજ્ઞાન પુરુષોને, (देहेषु) (स्वपराध्यवसायेन) પોતાની અને પરની આત્મબુદ્ધિના કારણે (पुत्रभार्यादिगोचरः) પુત્ર – સ્ત્રી – આદિકના વિષયમાં (विभ्रमः वर्तते) વિભ્રમ વર્તે છે.
ટીકા : પુરુષોને વિભ્રમ અર્થાત્ વિપર્યાસ (મિથ્યાજ્ઞાન) વર્તે છે. કેવા પુરુષોને? આત્માથી અજાણ – આત્મસ્વરૂપને નહિ જાણનારા – પુરુષોને. શાથી કરીને તે (વિભ્રમ) વર્તે છે? સ્વપરના અધ્યસાયથી. (વિભ્રમ) ક્યાં થાય છે? શરીરો વિષે. કેવો વિભ્રમ થાય છે? પુત્ર – ✽