Samadhitantra (Gujarati). Gatha: 11.

< Previous Page   Next Page >


Page 16 of 170
PDF/HTML Page 45 of 199

 

સમાધિતંત્ર૨૯

एवंविधाध्यवसायात्किं भवीत्याह

स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम्
वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ।।११।।

टीकाविभ्रमो विपर्यासः पुंसां वर्तते ? किं विशिष्टानां ? अविदितात्मनां अपरिज्ञातात्मस्वरूपाणां केन कृत्वाऽसौ वर्तते ? स्वपराध्यवसायेन क्व ? देहेषु कथम्भूतो

ભાવાર્થ : અજ્ઞાની બહિરાત્મા, જેવી રીતે પોતાના શરીરને પોતાનો આત્મા માને છે તેવી રીતે બીજાના (સ્ત્રીપુત્રમિત્રાદિકના) અચેતન શરીરને તેમનો (સ્ત્રીપુત્રમિત્રાદિકનો આત્મા) માને છે.

વિશેષ

જેમ પોતાના શરીરનો નાશ થતાં, બહિરાત્મા પોતાનો નાશ સમજે છે, તેમ સ્ત્રી પુત્રમિત્રાદિના શરીરનો નાશ થતાં તે તેમના આત્માનો નાશ સમજે છે. એમ તે પોતાના શરીરમાં આત્મબુદ્ધિઆત્મકલ્પનાકરી દુઃખી થાય છે, અને બીજાઓ પણ શરીરની પ્રતિકૂળતાના કારણે દુઃખી થાય છે એમ માને છે. ૧૦.

એવા પ્રકારના અધ્યવસાયથી શું થાય છે તે કહે છે

શ્લોક ૧૧

અન્વયાર્થ : (अविदितात्मनां पुंसां) આત્માના સ્વરૂપથી અજ્ઞાન પુરુષોને, (देहेषु) (स्वपराध्यवसायेन) પોતાની અને પરની આત્મબુદ્ધિના કારણે (पुत्रभार्यादिगोचरः) પુત્રસ્ત્રીઆદિકના વિષયમાં (विभ्रमः वर्तते) વિભ્રમ વર્તે છે.

ટીકા : પુરુષોને વિભ્રમ અર્થાત્ વિપર્યાસ (મિથ્યાજ્ઞાન) વર્તે છે. કેવા પુરુષોને? આત્માથી અજાણઆત્મસ્વરૂપને નહિ જાણનારાપુરુષોને. શાથી કરીને તે (વિભ્રમ) વર્તે છે? સ્વપરના અધ્યસાયથી. (વિભ્રમ) ક્યાં થાય છે? શરીરો વિષે. કેવો વિભ્રમ થાય છે? પુત્ર

सपरज्झवसाएणं देहेसु य अविदिदत्थमप्पाणं
सुयदाराईविसए मणुयाणं वड्ढए मोहो ।।१०।।मोक्षप्राभृते, कुन्दकुन्दाचार्यः
વિભ્રમ પુત્ર-રમાદિગત આત્મ-અજ્ઞને થાય.
દેહોમાં છે જેહને આતમ-અધ્યવસાય. ૧૧.