૩૦સમાધિતંત્ર विभ्रमः ? पुत्रभार्यादिगोचरः परमार्थतोऽनात्मीयमनुपकारकमपि पुत्रभार्याधनधान्यादिकमात्मीयमुपकारकं च मन्यते । तत्सम्पत्तौ संतोषं तद्वियोगे च महासन्तापमात्मवधादिकं च करोति ।।११।। ભાર્યાદિ વિષયક (વિભ્રમ થાય છે.) – પરમાર્થે (વાસ્તવમાં) પુત્ર, સ્ત્રી, ધન, ધાન્યાદિ આત્મીય (પોતાનાં) તેમજ ઉપકારક નહિ હોવા છતાં, તે (વિભ્રમિત પુરુષ) તેમને આત્મીય તથા ઉપકારક માને છે, તેમની સંપત્તિમાં (આબાદીમાં) તે સંતોષ તથા તેના વિયોગમાં મહાસંતાપ અને આત્મવધાદિક કરે છે.
ભાવાર્થ : જે પુરુષોને આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, તેઓ પોતાના શરીરમાં પોતાના આત્માની અને પરના શરીરમાં પરના આત્માની કલ્પના કરી, સ્ત્રી – પુત્રાદિકના વિષયમાં વિભ્રાન્ત રહે છે – અર્થાત્ પોતાના શરીરની સાથે સ્ત્રી – પુત્રાદિકના શરીર – સંબંધને જ પોતાના આત્માનો સંબંધ માને છે.
બહિરાત્મા સ્ત્રી – પુત્ર – મિત્રાદિ અનાત્મીય અર્થાત્ પર હોવા છતાં તેમને આત્મીય માને છે અને પોતાને અનુપકારક હોવા છતાં તેમને ઉપકારક માની તેમની રક્ષાનો પ્રયત્ન કરે છે, તેના સંયોગાદિમાં સુખી થાય છે અને તેમના વિયોગાદિમાં મહાસંતાપ માને છે અને આત્મવધ પણ કરે છે.
‘‘........શરીરનો સંયોગ થવા અને છૂટવાની અપેક્ષાએ જન્મ – મરણ હોય છે તેને પોતાનાં જન્મ – મરણ માની ‘‘હું ઊપજ્યો, હું મરીશ’’ એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય જીવોથી સંબંધ માને છે, જેમકે જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માતા – પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે, શરીરવડે નીપજ્યાં તેને પોતાનાં દીકરા – દીકરી માને છે, શરીરને જે ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે, ઇત્યાદિરૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ? હરકોઈ પ્રકારવડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે.......’’૧
‘‘........વળી જેમ કોઈ બહાવરો બેઠો હતો ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઊતર્યાં; તે સર્વને આ બહાવરો પોતાનાં જાણવા લાગ્યો, પણ એ બધાં પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય અને કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે – એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા છતાં આ બહાવરો તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે આ જીવ જ્યાં પર્યાય (શરીર) ધારણ કરે છે ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા અને ધનાદિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે તેને આ જીવ પોતાનાં ૧. મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. આવૃત્તિ – પૃ. ૮૩.