एवंविधविभ्रामाच्च किं भवतीत्याह –
टीका — तस्माद्विभ्रमाद्बहिरात्मनि संस्कारो वासना दृढोऽविचलो जायते । किन्नामा ? अविद्यासंज्ञितः अविद्या संज्ञाऽस्य संजातेति ‘‘तारकादिभ्य इतच्’’ येन संस्कारेण कृत्वालोको- ऽविवेकिजनः । अंगमेव च शरीरमेव । स्वं आत्मानं । पुनरपि जन्मान्तरेऽपि । अभिमन्यते ।।१२।। જાણે છે, પણ એ તો પોતપોતાને આધીન કોઈ આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે – એમ તેની પરાધીન ક્રિયા હોય છે, તેને પોતાને આધીન માની આ જીવ ખેદખિન્ન થાય છે.’’૨ ૧૧.
એવા પ્રકારના વિભ્રમથી શું થાય છે? તે કહે છેઃ –
અન્વયાર્થ : (तस्मात्) એ વિભ્રમથી (अविद्यासंज्ञितः) અવિદ્યા નામનો (संस्कारः) (दृढः) દ્રઢ – મજબૂત (जायते) થાય છે, (येन) જે કારણથી (लोकः) અજ્ઞાની જીવ (पुनः अपि) જન્માન્તરમાં પણ (अंगम् एव) શરીરને જ (स्वं अभिमन्यते) આત્મા માને છે.
ટીકા : તે વિભ્રમથી બહિરાત્મામાં સંસ્કાર એટલે વાસના દ્રઢ – અવિચલ થાય છે. કયા નામનો (સંસ્કાર)? અવિદ્યા નામનો (સંસ્કાર) – અવિદ્યા સંજ્ઞા જેની છે તે – જે સંસ્કારને લીધે અવિવેકી (અજ્ઞાની) જન અંગને જ એટલે શરીરને જ ફરીથી પણ, અર્થાત્ અન્ય જન્મમાં પણ પોતાનો આત્મા માને છે.
ભાવાર્થ : આ જીવને અજ્ઞાનજનિત અવિદ્યા સંસ્કાર અનાદિકાલથી છે, સ્ત્રી – પુત્રાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવાથી આ સંસ્કાર દ્રઢ થાય છે અને તેને લીધે અન્ય જન્મમાં પણ જીવ શરીરને જ આત્મા માને છે. ✽
૨. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૫૨.