Samadhitantra (Gujarati). Gatha: 12.

< Previous Page   Next Page >


Page 18 of 170
PDF/HTML Page 47 of 199

 

સમાધિતંત્ર૩૧

एवंविधविभ्रामाच्च किं भवतीत्याह

अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः
येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ।।१२।।

टीकातस्माद्विभ्रमाद्बहिरात्मनि संस्कारो वासना दृढोऽविचलो जायते किन्नामा ? अविद्यासंज्ञितः अविद्या संज्ञाऽस्य संजातेति ‘‘तारकादिभ्य इतच्’’ येन संस्कारेण कृत्वालोको- ऽविवेकिजनः अंगमेव च शरीरमेव स्वं आत्मानं पुनरपि जन्मान्तरेऽपि अभिमन्यते ।।१२।। જાણે છે, પણ એ તો પોતપોતાને આધીન કોઈ આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમેએમ તેની પરાધીન ક્રિયા હોય છે, તેને પોતાને આધીન માની આ જીવ ખેદખિન્ન થાય છે.’’ ૧૧.

એવા પ્રકારના વિભ્રમથી શું થાય છે? તે કહે છેઃ

શ્લોક ૧૨

અન્વયાર્થ : (तस्मात्) એ વિભ્રમથી (अविद्यासंज्ञितः) અવિદ્યા નામનો (संस्कारः) (दृढः) દ્રઢમજબૂત (जायते) થાય છે, (येन) જે કારણથી (लोकः) અજ્ઞાની જીવ (पुनः अपि) જન્માન્તરમાં પણ (अंगम् एव) શરીરને જ (स्वं अभिमन्यते) આત્મા માને છે.

ટીકા : તે વિભ્રમથી બહિરાત્મામાં સંસ્કાર એટલે વાસના દ્રઢઅવિચલ થાય છે. કયા નામનો (સંસ્કાર)? અવિદ્યા નામનો (સંસ્કાર)અવિદ્યા સંજ્ઞા જેની છે તેજે સંસ્કારને લીધે અવિવેકી (અજ્ઞાની) જન અંગને જ એટલે શરીરને જ ફરીથી પણ, અર્થાત્ અન્ય જન્મમાં પણ પોતાનો આત્મા માને છે.

ભાવાર્થ : આ જીવને અજ્ઞાનજનિત અવિદ્યા સંસ્કાર અનાદિકાલથી છે, સ્ત્રીપુત્રાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવાથી આ સંસ્કાર દ્રઢ થાય છે અને તેને લીધે અન્ય જન્મમાં પણ જીવ શરીરને જ આત્મા માને છે.

मिच्छाणाणेसु रओ मिच्छाभावेण भाविओ संतो
मोहोदयेण पुणरवि अंगं संम्मण्णए मणुओ ।।११।।मोक्षप्राभृते, कुन्दकुन्दाचार्यः

૨. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિપૃ. ૫૨.

આ ભ્રમથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર;
અન્ય ભવે પણ દેહને આત્મા ગણે ગમાર. ૧૨.