૩૨સમાધિતંત્ર
एवमभिमन्यमानश्चासौ किं करोतीत्याह —
टीका – देहे स्वबुद्धित्मबुद्धिरार्बहिरात्मा किं करोति ? आत्मानं युनक्ति सम्बद्धं करोति
અનાદિ અજ્ઞાનતાના કારણે આ જીવને જે પર્યાય (શરીર) પ્રાપ્ત થાય છે તેને તે પોતાનો આત્મા સમજી લે છે અને તેનો આવો અજ્ઞાનાત્મક સંસ્કાર જન્મ – જન્માન્તરોમાં પણ બન્યો રહેવાથી તે દ્રઢ થતો જાય છે. જેમ રસ્સીના ઘસારાથી કૂવાના પત્થરમાં કાપો વધુ ને વધુ ઊંડો પડતો જાય છે, તેમ અવિદ્યાના સંસ્કારો પણ અજ્ઞાની જીવમાં વધુ ને વધુ ઊંડા ઊતરતા જાય છે.
અવિદ્યાના સંસ્કારોથી પ્રેરાઈ આ જીવ શરીરાદિ પર પદાર્થો વિષે આત્મબુદ્ધિ કરે છે. પોતાને પરનો કર્તા – ભોક્તા માને છે, પર પ્રત્યે અહંકાર – મમકાર બુદ્ધિ ને એકતાબુદ્ધિ કરે છે. આ કારણથી તેને રાગ – દ્વેષ થાય છે અને રાગ – દ્વેષથી તેનું સંસાર – ચક્ર ચાલુ જ રહે છે. ૧૨.
એવી રીતે માનીને તે શું કરે છે? તે કહે છેઃ –
અન્વયાર્થ : (देहे स्वबुद्धिः) શરીરમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા (निश्चयात्) નિશ્ચયથી (आत्मानं) પોતાના આત્માને (एतेन) તેની સાથે – શરીરની સાથે (युनक्ति) જોડે છે – સંબંધ કરે છે, અર્થાત્ બંનેને એકરૂપ માને છે, પરંતુ (स्वात्मनि एव आत्मधीः) પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ કરનાર અંતરાત્મા (देहिनं) પોતાના આત્માને (तस्मात्) તેનાથી – શરીરથી (वियोजयति) પૃથક્ – અલગ કરે છે.
ટીકા : શરીરમાં ૧સ્વબુદ્ધિ – આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા શું કરે છે? તે (પોતાના) ૧. પાટણ – જૈન ભંડારની પ્રત આધારે ‘સમાધિશતક’ની ટીકાના અનુવાદમાં શ્રીયુત મણિલાલ નભુભાઈ
રાખે છે, અર્થાત્ દીર્ઘ સંસારતાપમાં પાડે છે......’’