Samadhitantra (Gujarati). Gatha: 15.

< Previous Page   Next Page >


Page 22 of 170
PDF/HTML Page 51 of 199

 

સમાધિતંત્ર૩૫

इदानीमुक्तमर्थमुपसंहृत्यात्मन्यन्तरात्मनोऽनुप्रवेशं दर्शयन्नाह

मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः
त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ।।१५।।

જ્યાંસુધી જીવને શરીરમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાંસુધી તેને પોતાના નિરાકુલ નિજાનન્દરસનો સ્વાદ આવતો નથી અને પોતાની અનંતચતુષ્ટયરૂપ સમ્પત્તિથી અજ્ઞાત રહે છે. તે સ્ત્રીપુત્રધનધાન્યાદિ બાહ્ય સમ્પત્તિઓને પોતાની માની તેના સંયોગવિયોગમાં હર્ષવિષાદ કરે છે. તેના ફલસ્વરૂપ તેનું સંસારપરિભ્રમણ ચાલુ રહે છે. તેથી આચાર્ય ખેદ દર્શાવતાં કહે છે કે, ‘‘હાય! આ જગત્ માર્યું ગયું! ઠગાઈ ગયું! તેને પોતાનું કાંઈ પણ ભાન રહ્યું નહિ!’’

વિશેષ

‘‘........વળી કોઈ વખતે કોઈ પ્રકારે પોતાની ઇચ્છાનુસાર પરિણમતા જોઈ આ જીવ એ શરીરપુત્રાદિકમાં અહંકારમમકાર કરે છે અને એ જ બુદ્ધિથી તેને ઉપજાવવાની, વધારવાની તથા રક્ષા કરવાની ચિંતાવડે નિરંતર વ્યાકુળ રહે છે, નાના પ્રકારનાં દુઃખ વેઠીને પણ તેમનું ભલું ઇચ્છે છે......’’

‘‘.......મિથ્યાદર્શન વડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતાં તેને પણ પોતાની માને છે, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મંદિર (મકાન) અને નોકરચાકરાદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે. સદાકાળ પોતાને આધીન નથીએમ પોતાને જણાય તો પણ તેમાં મમકાર કરે છે, પુત્રાદિકમાં ‘‘આ છે તે હું જ છું’’એવી પણ કોઈ વેળા ભ્રમબુદ્ધિ થાય છે. મિથ્યાદર્શનથી શરીરાદિકનું સ્વરૂપ પણ અન્યથા જ ભાસે છે.......’’ ૧૪.

હવે કહેલા અર્થનો ઉપસંહાર કરીને આત્મામાં અન્તરાત્માનો અનુપ્રવેશ દર્શાવતાં કહે છેઃ ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિપૃ. ૫૩. २. वपुर्गृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः

सर्वथान्यस्वभावानि मूढः स्वानि प्रपद्यते ।।।। (इष्टोपदेश)

૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિપૃ. ૮૩.

ભવદુઃખોનું મૂળ છે દેહાતમધી જેહ;
છોડી, રુદ્ધેન્દ્રિય બની, અંતરમાંહી પ્રવેશ. ૧૫.