૪૪સમાધિતંત્ર
तदेव विकल्पातीतं स्वरूपं निरूपयन्नाह –
ઉન્મત્તતા બે પ્રકારની છે – એક શ્રદ્ધા અપેક્ષાએ અને બીજી ચારિત્ર અપેક્ષાએ.
(૧) શ્રી તત્ત્વાર્થસૂત્રમાં૨ જે ઉન્મત્તતા દર્શાવી છે તે શ્રદ્ધા અપેક્ષાએ છે. મિથ્યાદ્રષ્ટિ સત અને અસત્નો ભેદ જાણતો નથી. તે ઉન્મત્ત પુરુષની માફક પોતાની રુચિ અનુસાર વસ્તુને સમજે છે. જેમ મદિરા પીને ઉન્મત્ત થયેલો પુરુષ માતા – પત્નીનો ભેદ જાણતો નહિ હોવાથી કદી માતાને પત્ની અને પત્નીને માતા કહે છે અને કોઈ વખત તે પત્નીને પત્ની અને માતાને માતા કહે છે, છતાં તે ઠીક સમજીને તેમ કહે છે એમ નથી. તેવી રીતે મિથ્યાદ્રષ્ટિને પણ વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન નહિ હોવાથી તેના વિકલ્પો મિથ્યા માન્યતાના કારણે ઉન્મત્ત પુરુષના જેવા હોય છે.
(૨) પ્રસ્તુત શ્લોકમાં જે ઉન્મત્તતા દર્શાવી છે તે અંતરાત્માની ચારિત્ર અપેક્ષાએ છે, શ્રદ્ધા અપેક્ષાએ નથી; કેમકે જ્ઞાનીને પણ અસ્થિરતાના કારણે તેવા વિકલ્પો ઊઠે છે, પણ અભિપ્રાયમાં તેને તેનો આદર નથી. જ્યાં સુધી વિકલ્પ ઊઠે ત્યાં સુધી નિર્વિકલ્પ થઈ શકાતું નથી. તેથી આચાર્યે વિકલ્પ તોડીને આત્મસ્વરૂપમાં લીન થવા માટે નિર્દેશ કર્યો છે; અને અંતરાત્માની ભૂમિકાના વિકલ્પોને ચારિત્ર અપેક્ષાએ ઉન્મત્તપણું કહ્યું છે. ૧૯.
તે જ વિકલ્પાતીત (નિર્વિકલ્પ) સ્વરૂપનું નિરૂપણ કરતાં કહે છેઃ –
અન્વયાર્થ : (यत्) જે એટલે શુદ્ધ આત્મસ્વરૂપ (अग्राह्यं) અગ્રાહ્યને અર્થાત્ ક્રોધાદિસ્વરૂપને (न गृह्णाति) ગ્રહણ કરતું નથી અને (गृहीतं अपि) ગ્રહણ કરેલાને અર્થાત્ ૨. જુઓ – તત્ત્વાર્થસૂત્ર – અ. ૧, સૂત્ર ૩૨. ❈
//
/