૪૬સમાધિતંત્ર
इत्थंभूतात्मपरिज्ञानात्पूर्वं कीदृशं मम चेष्टितमित्याह —
આત્માને પર દ્રવ્યનો ગ્રહણ – ત્યાગ કહેવો એ તો વ્યવહારનયનું કથનમાત્ર છે. નિશ્ચયનયે તો તે પર દ્રવ્યનો ગ્રહણ – ત્યાગ કરી શકતો જ નથી. જ્યારે જીવ આત્મસ્વરૂપમાં લીન થાય છે, ત્યારે રાગાદિ વિકારો સ્વયં છૂટી જાય છે; તેને છોડવા પડતા નથી. અને આત્મિક ગુણો સ્વયં પ્રગટ થાય છે.
વળી આત્મસ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ થાય ત્યારે આત્માના જ્ઞાનગુણની પર્યાય પણ કેવળજ્ઞાનરૂપે પ્રગટે છે. આ કેવળજ્ઞાનનો એવો અનંત મહિમા છે કે તે અનંત દ્રવ્યોના અનંત ગુણોને અને તેમની ત્રિકાલવર્તી વિકારી – અવિકારી અનંત પર્યાયોને સંપૂર્ણપણે એક જ સમયમાં સર્વથા પ્રત્યક્ષ જાણે છે.૧
જ્ઞાન પર પદાર્થોને જાણે છે — એમ કહેવું તે પણ વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં તો આત્મા પોતાને જાણતાં સમસ્ત પર પદાર્થો જણાઈ જાય છે એવી જ્ઞાનની નિર્મળતા – સ્વચ્છતા છે.
વળી તે આત્મસ્વરૂપ સ્વસંવેદ્ય છે અર્થાત્ પોતાના આત્માના જ અનુભવમાં આવે તેવું છે. ગુરુ, તેમની વાણી કે તીર્થંકર ભગવાનની દિવ્ય – ધ્વનિ પણ તેનો અનુભવ કરાવી શકે તેમ નથી. જીવ અનુભવ કરે તો તે નિમિત્તમાત્ર કહેવાય. તે સ્વાનુભવ – ગોચર છે. આત્મા પોતે જ તેને ઓળખી, અનુભવ કરી શકે.
એ રીતે વાસ્તવમાં આત્માને પરદ્રવ્યનાં તથા રાગાદિનાં ગ્રહણ – ત્યાગ નથી; તે સર્વજ્ઞ છે અને માત્ર સ્વાનુભવ – ગોચર છે. ૨૦.
આવા આત્મ – પરિજ્ઞાનની પૂર્વે મારી ચેષ્ટા કેવી હતી તે કહે છેઃ –
અન્વયાર્થ : (स्थाणौ) ઝાડના ઠૂંઠામાં (उत्पन्नपुरुषभ्रान्तेः) જેને પુરુષની ભ્રાન્તિ ૧. જુઓઃ શ્રી પ્રવચનસાર ગાથા – ૩૭, ૩૮, ૩૯, ૪૧, ૪૭, ૪૮, ૪૯, ૫૧.