Samadhitantra (Gujarati). Gatha: 23.

< Previous Page   Next Page >


Page 36 of 170
PDF/HTML Page 65 of 199

 

સમાધિતંત્ર૪૯

अथेदानीमात्मनि स्त्र्यादिलिङ्गैकत्वादिसंख्याविभ्रमनिवृत्त्यर्थतद्विविक्तासाधारणस्वरूपं दर्शयन्नाह

येनात्मनाऽनुभूयेहमात्मनैवात्मनात्मनि
सोऽहं न तन्न सा नासौ नैका न द्वौ वा बहुः ।।२३।।

કરી જે ઉપકારઅપકારાદિની કલ્પનારૂપ ચેષ્ટા કરતો હતો તે બંધ થઈ જાય છે; તેમ અન્તરાત્માને ભેદવિજ્ઞાન દ્વારા શરીર અને આત્માની એકતાનો ભ્રમ દૂર થતાં શરીરાદિમાં ઉપકારઅપકારરૂપ બુદ્ધિ રહેતી નથી અને તેથી તેના પ્રત્યે ઉદાસીન રહે છે.

વિશેષ

જ્ઞાની પોતાના આત્માને શરીરથી ભિન્ન અને તદ્દન જુદી જાતનો માને છે; કારણ કે શરીર રૂપી, આત્મા અરૂપી; શરીર જડ, આત્મા ચેતન; શરીર સંયોગી, આત્મા અસંયોગી; શરીર વિનાશી, આત્મા અવિનાશી; શરીર આંધળું, આત્મા દેખતો; શરીર ઇન્દ્રિયગ્રાહ્ય, આત્મા અતીન્દ્રિયગ્રાહ્ય; શરીર બાહ્ય પરતત્ત્વ, આત્મા અંતરંગ સ્વતત્ત્વ, ઇત્યાદિ પ્રકારે બંને એકબીજાથી ભિન્ન છે.

આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી જીવને જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારે શરીરાદિમાં આત્મબુદ્ધિની ભ્રમણા છૂટી જાય છે, શરીરના સુધારબગાડથી આત્મા સુધરેબગડે એવો ભ્રમ ટળી જાય છે. દેહાદિ પર પદાર્થો પ્રત્યે કર્તાબુદ્ધિના સ્થાને જ્ઞાતાબુદ્ધિ ઊપજે છે અને તે આત્મ સન્મુખ વળી ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થવા લાગે છે.

આમ જીવને જ્યારે ભેદવિજ્ઞાનદ્વારા સ્વપરનું ભાન થાય છે, ત્યારે તે પર ભાવથી હટી સ્વસન્મુખ થાય છે. ૨૨

હવે આત્મામાં સ્ત્રી આદિ લિંગ ને એકત્વાદિ સંખ્યા સંબંધી વિભ્રમની નિવૃત્તિ માટે તેનાથી વિવિક્ત (ભિન્ન) અસાધારણ સ્વરૂપ બતાવતાં કહે છેઃ

શ્લોક ૨૩

અન્વયાર્થ : (येन आत्मना) જે આત્માથીચૈતન્યસ્વરૂપથી (अहम्) હું (आत्मनि) પોતાના આત્મામાં (आत्मना) આત્માદ્વારાસ્વસંવેદનજ્ઞાનદ્વારા (आत्मना एव) પોતાના

જે રૂપે હું અનુભવું નિજ નિજથી નિજમાંહી,
તે હું, નર-સ્ત્રી-ઇતર નહિ, એક-બહુ-દ્વિક નાહિ. ૨૩.