૫૦સમાધિતંત્ર
टीका — येनात्मना चैतन्यस्वरूपेण इत्थंभावे तृतीया । अहमनुभूये । केन कर्त्रा ? आत्मनैव अनन्येन । केन करणभूतेन ? आत्मना स्वसंवेदस्वभावेन । क्व ? आत्मनि स्वस्वरूपे । सोऽहं इत्थंभूतस्वरूपोऽहं । न तत् न नपुंसकं । न सा न स्त्री । नासौ न पुमान् अहं । तथा नैको न द्वौ न वा बहुरहं । स्त्रीत्वादिधर्माणां कर्मोत्पादितदेहस्वरूपत्वात् ।।२३।। આત્માને પોતે (अनुभूये) અનુભવું છું. (सः) તે – શુદ્ધાત્મસ્વરૂપ (अहं) હું (न तत्) ન તો નપુંસક છું, (न सा) ન સ્ત્રી છું, (न असौ) ન પુરુષ છું; (न एकः) ન એક છું (न द्वै) ન બે છું, (वा) અથવા (न बहुः) ન બહુ છું.
ટીકા : જે આત્મા વડે – ચૈતન્ય સ્વરૂપ વડે હું અનુભવમાં આવું છું – કોનાથી? આત્માથી જ – બીજા કોઈથી નહિ, કયા કરણ (સાધન) દ્વારા? આત્માદ્વારા – સ્વસંવેદન સ્વભાવ દ્વારા, ક્યાં? આત્મામાં – સ્વસ્વરૂપમાં, તે હું છું – એવા સ્વરૂપવાળો છું. ન તો હું નપુંસક છું, ન સ્ત્રી છું, ન પુરુષ છું; તથા ન હું એક છું, ન બે છું કે ન હું બહુ છું; કારણ કે સ્ત્રીત્વાદિ ધર્મો છે તે તો કર્મોપાદિત દેહ – સ્વરૂપવાળા છે.
ભાવાર્થ : હું સ્વસંવેદનજ્ઞાનદ્વારા પોતે જ મારા આત્મસ્વરૂપને મારા આત્મામાં અનુભવું છું – અર્થાત્ હું ચૈતન્યસ્વરૂપ સ્વસંવેદનગમ્ય છું. તેમાં સ્ત્રી – પુરુષાદિ લિંગનો તથા એક, બે, વગેરે સંખ્યાના વિકલ્પોનો અભાવ છે.
અન્તરાત્મા વિચારે છે કે જીવમાં સ્ત્રી – પુરુષાદિનો વ્યવહાર કેવળ શરીરને લીધે છે. એક, બે અને બહુવચનનો વ્યવહાર પણ શરીરાશ્રિત છે. જ્યારે શરીર મારું રૂપ જ નથી અને મારું શુદ્ધસ્વરૂપ નિર્વિકલ્પ છે, ત્યારે મારામાં લિંગ – ભેદ અને વચન – ભેદના વિકલ્પો કેવી રીતે ઘટી શકે? આ સ્ત્રીત્વાદિ ધર્મો તો કર્મોપાદિત દેહનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ નથી. મારું ચૈતન્યસ્વરૂપ તો તે બધાંથી પર છે.
આત્મા શુદ્ધ આનંદસ્વભાવી છે, એક છે – એવો રાગમિશ્રિત વિચાર પણ સ્વભાવમાં નથી. ગુણ – ગુણી તરીકે બે છે ને જ્ઞાન – દર્શનના ઉપયોગે બે છે – એવો ભેદ સ્વરૂપમાં નથી.
આત્માનું શુદ્ધ સ્વરૂપ અભેદ, ગુણ – ગુણીના ભેદ વિનાનું છે. તેમાં લિંગભેદ, વચન ભેદ, વિકલ્પભેદાદિ કંઈ નથી.
અહીં આચાર્યનું લક્ષ અભેદ – અખંડ આત્માના સ્વરૂપ ઉપર છે; તેથી તેમણે કહ્યું છે કે, વાસ્તવમાં આત્માને સ્ત્રી, પુરુષ, નપુંસકાદિ અવસ્થાઓ નથી, ગુણોના ભેદરૂપ અને કારકોના ભેદરૂપ કલ્પના નથી.