Samadhitantra (Gujarati). Gatha: 24.

< Previous Page   Next Page >


Page 38 of 170
PDF/HTML Page 67 of 199

 

સમાધિતંત્ર૫૧

येनात्मना त्वमनुभूयसे स कीदृशः इत्याह

यदभावे सुषुप्तोऽहं यद्भवे व्युत्थितः पुनः
अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहम् ।।२४।।

टीकायस्य शुद्धस्य स्वसंवेद्यस्य रूपस्य अभावे अनुपलम्भे सुषुप्तो यथावत्पदार्थपरिज्ञानाभावलक्षणनिद्रया गाढाक्रान्तः यद् भावे यस्य तत्स्वरूपस्य भावे उपलम्भे पुनर्व्युत्थितः विशेषेणोत्थितो जागरितोऽहं यथावत्स्वरूपपरिच्छित्तिपरिणत इत्यर्थः किं विशिष्टं तत्स्वरूपं ? अतीन्द्रियं इन्द्रियैरजन्यमग्राह्यं च अनिर्देश्यं शब्दविकल्पागोचरत्वादिदंतयाऽनिदन्तया वा निर्देष्टुमशक्यम् तदेवंविधं स्वरूपं कुतः सिद्धमित्याह-तत्स्वसंवेद्यं तदुक्तप्रकारंस्वरूपं स्वसंवेद्य स्वसंवेदनग्राह्यं अहमस्मीति ।।२४।।

આવી સમજણથી જ્ઞાની ભેદવિજ્ઞાન કરી આત્મસ્વરૂપમાં એકાગ્ર થવાની નિરંતર ભાવના ભાવે છે. ૨૩.

જે આત્માથી તું અનુભવમાં આવે છે તે કેવો છે તે કહે છેઃ

શ્લોક ૨૪

અન્વયાર્થ : (यत् अभावे) જેનાશુદ્ધાત્મસ્વરૂપનાઅભાવે (अहं) હું (सुषुप्तः) સૂતો પડી રહ્યો હતોઅજ્ઞાન અવસ્થામાં હતો, (पुनः) વળી (यत् भावे) જેનાશુદ્ધાત્મસ્વરૂપના સદ્ભાવમાં હું (व्युत्थितः) જાગી ગયોયથાવત્ વસ્તુસ્વરૂપને જાણવા લાગ્યો, (तत्) તે શુદ્ધાત્મસ્વરૂપ (अतीन्द्रियम्) ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય (अनिर्देश्यम्) વચનોથી અગોચર (વચનોથી ન કહી શકાય તેવું) અને (स्वसंवेद्यम्) સ્વાનુભવગમ્ય છે; તે (अहं अस्मि) હું છું.

ટીકા : જે શુદ્ધ સ્વસંવેદ્યરૂપના અભાવે એટલે તેની અનુપલબ્ધિમાંઅપ્રાપ્તિમાં હું સૂતો હતોઅર્થાત્ યથાવત્ પદાર્થપરિજ્ઞાનનો અભાવ જેનું લક્ષણ છે એવી નિદ્રામાં હું ગાઢ ઘેરાયેલો હતો (લપેટાયેલો હતો) અને જેના સદ્ભાવમાં અર્થાત્ જેના તત્સ્વરૂપના સદ્ભાવમાંપ્રાપ્તિમાં (જે સ્વરૂપનો અનુભવ થતાં) હું જાગ્યોવિશેષપણે જાગૃત થયો, અર્થાત્ યથાવત્ સ્વરૂપના પરિજ્ઞાનસ્વરૂપે હું પરિણમ્યોએવો અર્થ છે.

નહિ પામ્યે નિદ્રિત હતો, પામ્યે નિદ્રામુક્ત,
તે નિજવેદ્ય, અતીન્દ્રિ ને અવાચ્ય છે મુજ રૂપ. ૨૪.