येनात्मना त्वमनुभूयसे स कीदृशः इत्याह —
टीका — यस्य शुद्धस्य स्वसंवेद्यस्य रूपस्य । अभावे अनुपलम्भे । सुषुप्तो यथावत्पदार्थपरिज्ञानाभावलक्षणनिद्रया गाढाक्रान्तः । यद् भावे यस्य तत्स्वरूपस्य भावे उपलम्भे । पुनर्व्युत्थितः विशेषेणोत्थितो जागरितोऽहं यथावत्स्वरूपपरिच्छित्तिपरिणत इत्यर्थः । किं विशिष्टं तत्स्वरूपं ? अतीन्द्रियं इन्द्रियैरजन्यमग्राह्यं च । अनिर्देश्यं शब्दविकल्पागोचरत्वादिदंतयाऽनिदन्तया वा निर्देष्टुमशक्यम् । तदेवंविधं स्वरूपं कुतः सिद्धमित्याह-तत्स्वसंवेद्यं तदुक्तप्रकारंस्वरूपं स्वसंवेद्य स्वसंवेदनग्राह्यं अहमस्मीति ।।२४।।
આવી સમજણથી જ્ઞાની ભેદ – વિજ્ઞાન કરી આત્મસ્વરૂપમાં એકાગ્ર થવાની નિરંતર ભાવના ભાવે છે. ૨૩.
જે આત્માથી તું અનુભવમાં આવે છે તે કેવો છે તે કહે છેઃ —
અન્વયાર્થ : (यत् अभावे) જેના – શુદ્ધાત્મસ્વરૂપના – અભાવે (अहं) હું (सुषुप्तः) સૂતો પડી રહ્યો હતો – અજ્ઞાન અવસ્થામાં હતો, (पुनः) વળી (यत् भावे) જેના – શુદ્ધાત્મસ્વરૂપના – સદ્ભાવમાં હું (व्युत्थितः) જાગી ગયો – યથાવત્ વસ્તુસ્વરૂપને જાણવા લાગ્યો, (तत्) તે – શુદ્ધાત્મસ્વરૂપ (अतीन्द्रियम्) ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય (अनिर्देश्यम्) વચનોથી અગોચર (વચનોથી ન કહી શકાય તેવું) અને (स्वसंवेद्यम्) સ્વાનુભવગમ્ય છે; તે (अहं अस्मि) હું છું.
ટીકા : જે શુદ્ધ સ્વસંવેદ્યરૂપના અભાવે એટલે તેની અનુપલબ્ધિમાં – અપ્રાપ્તિમાં હું સૂતો હતો – અર્થાત્ યથાવત્ પદાર્થ – પરિજ્ઞાનનો અભાવ જેનું લક્ષણ છે એવી નિદ્રામાં હું ગાઢ ઘેરાયેલો હતો (લપેટાયેલો હતો) અને જેના સદ્ભાવમાં અર્થાત્ જેના તત્સ્વરૂપના સદ્ભાવમાં – પ્રાપ્તિમાં (જે સ્વરૂપનો અનુભવ થતાં) હું જાગ્યો – વિશેષપણે જાગૃત થયો, અર્થાત્ યથાવત્ સ્વરૂપના પરિજ્ઞાનસ્વરૂપે હું પરિણમ્યો – એવો અર્થ છે.