Samadhitantra (Gujarati). Gatha: 25.

< Previous Page   Next Page >


Page 39 of 170
PDF/HTML Page 68 of 199

 

૫૨સમાધિતંત્ર

तत्स्वरूपं स्वसंवेदयतो रागादिप्रक्षयान्न क्वविच्छत्रुमित्रव्यवस्था भवतीति दर्शयन्नाह

क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः
बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः ।।२५।।

टीकाअत्रैव नकेवलमग्रे किन्तु अत्रैव जन्मनि क्षीयन्ते के ते ? रागाद्याः आदौ भवः

તત્સ્વરૂપ કેવા પ્રકારનું છે? તે અતીન્દ્રિય છે અર્થાત્ ઇન્દ્રિયજન્ય નથી, ઇન્દ્રિયગ્રાહ્ય નથી અને વચનઅગોચર અર્થાત્ શબ્દવિકલ્પોથી અગોચર હોવાથી (શબ્દો દ્વારા કહેવામાં નહિ આવતું હોવાથી) આ કે તે સ્વરૂપાદિરૂપે કહી શકાય તેવું નથી. તો એવા પ્રકારનું સ્વરૂપ ક્યાંથી સિદ્ધ થાય તે કહે છે‘‘તે સ્વસંવેદ્ય સ્વરૂપ અર્થાત્ તે ઉક્ત પ્રકારનું સ્વસંવેદનથી ગ્રાહ્ય સ્વરૂપ તે હું છું.’’

ભાવાર્થ : જે શુદ્ધાત્મસ્વરૂપ અતીન્દ્રિય, વચનઅગોચર અને સ્વાનુભવગમ્ય છે તે હું છુંએવું જ્યાં સુધી જીવને જ્ઞાન ન હતું ત્યાં સુધી તે અજ્ઞાનનિદ્રામાં સૂતો હતો, પરંતુ જ્યારે તેને પોતાના ઉક્ત પ્રકારના સ્વરૂપનું યથાવત્ ભાન થયું ત્યારે તે વાસ્તવમાં જાગૃત થયો અર્થાત્ તેના પરિજ્ઞાનરૂપે પરિણમ્યો.

જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ છે તે જ જાગે છે અને જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ નથી તે ઊંઘે છે. જ્યારથી તે ચિદાનંદસ્વરૂપને સ્વસંવેદન દ્વારા અનુભવે છે, ત્યારથી તે સદાય જાગૃત જ છે એમ સમજવું. ૨૪

તે સ્વરૂપનું સ્વસંવેદન કરનારને રાગાદિનો વિશેષ ક્ષય થવાથી ક્વચિત્ પણ શત્રુમિત્રની વ્યવસ્થા (કલ્પના) રહેતી નથી તે દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૨૫

અન્વયાર્થ : (यतः) કારણ કે (बोधात्मानं) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ એવા (मां) અનેમારા આત્માને (तत्त्वतः प्रपश्यतः) વાસ્તવમાં અનુભવ કરનાર જીવને (अत्र एव) અહીં જ (रागाद्याः) રાગાદિ દોષો (क्षीयन्ते) નાશ પામે છે; (ततः) તેથી (मे) મારો (न कः चित्) ન કોઈ (शत्रुः) શત્રુ છે (न च) અને ન કોઈ (प्रियः) મિત્ર છે.

ટીકા : અહીં જનહીં કે કેવળ આગળ (બીજા જન્મમાં) જ પરંતુ આ જ જન્મમાં

જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં પરમાર્થે વેદાય,
ત્યાં રાગાદિવિનાશથી નહિ અરિ-મિત્ર જણાય. ૨૫.