Samadhitantra (Gujarati). Samadhitantra Gathas 26 to 50 Gatha: 26.

< Previous Page   Next Page >


Page 41 of 170
PDF/HTML Page 70 of 199

 

૫૪સમાધિતંત્ર

यदि त्वमन्यस्य कस्यचिन्न शत्रुर्मित्रं वा तथापि तवान्यः कश्चिद्भविष्यतीत्याशंक्याह

मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः
मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ।।२६।।

टीकाआत्मस्वरूपे प्रतिपन्नेवाऽयंलोको मयि शत्रुमित्रभावं प्रतिपद्यते ? न तावद् प्रतिपन्ने यतः मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः अप्रतिपन्ने हि वस्तुस्वरूपे रागाद्युत्पत्तावतिप्रसङ्गः नापि प्रतिपन्ने यतः मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः आत्मस्वरूपप्रतीतौ रागादिकप्रक्षयात् कथं क्व चिदपि शत्रुमित्रभावः स्यात् ।।२६।।

ભલે તું બીજા કોઈનો શત્રુમિત્ર ન હો, તો પણ બીજો કોઈ તો તારો શત્રુમિત્ર હશે ને? એવી આશંકા કરી તેનું સમાધાન કરે છેઃ

શ્લોક ૨૬

અન્વયાર્થ : (मां) મનેમારા આત્મસ્વરૂપને (अपश्यन्) નહિ દેખતો (अयं लोकः) આ લોકઅજ્ઞાની પ્રાણિગણ (न मे शत्रुः) મારો શત્રુ નથી (न च प्रियः) અને મિત્ર નથી, તથા (मां) મનેમારા આત્મસ્વરૂપને (प्रपश्यन्) યથાર્થપણે દેખતો (अयं लोकः) આ લોક જ્ઞાની જીવગણ (न मे शत्रुः) ન મારો શત્રુ છે (न च प्रियः) અને ન મિત્ર છે.

ટીકા : આત્મસ્વરૂપ સમજાય કે ન સમજાય તો પણ આ લોક મારા પ્રત્યે શત્રુ મિત્રભાવ કેમ કરે? પ્રથમ તો (આત્મસ્વરૂપ) ન સમજાય તો પણ તે ન કરે, કારણ કે આ લોક મને દેખતો નથી તેથી તે મારો શત્રુ નથી ને મારો મિત્ર નથી; જ્યાં વસ્તુસ્વરૂપ ન સમજાય ત્યાં પણ રાગાદિની ઉત્પત્તિ થાય તો અતિપ્રસંગ આવે.

(વસ્તુસ્વરૂપ) સમજવામાં આવતાં પણ ન (કોઈ મારો શત્રુમિત્ર છે), કારણ કે આ (જ્ઞાની) લોક મને દેખતો (જાણતો) હોવાથી, તે નથી મારો શત્રુ ને નથી મારો મિત્ર.

આત્મસ્વરૂપની પ્રતીતિ થતાં રાગાદિનો ક્ષય (અભાવ) થવાથી ક્વચિત્ પણ શત્રુ મિત્રભાવ કેવી રીતે હોઈ શકે?

ભાવાર્થ : અંતરાત્મા સમાધાન કરે છે કે, ‘અજ્ઞાની જનો તો મારા આત્માને દેખતા

દેખે નહિ મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર;
દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. ૨૬.