अन्तरात्मनो बहिरात्मत्वत्यागे परमात्मत्वप्राप्तौ चोपायत्वं दर्शयन्नाह —
टीका — एवमुक्तप्रकारेणान्तरात्मव्यवस्थितः सन् बहिरात्मानं त्यक्त्वा परमात्मानं भावयेत् । कथंभूतं ? सर्वसंकल्पवर्जितं विकल्पजालरहितं अथवा सर्वसंकल्पवर्जितः सन् भावयेत् ।।२७।। જાણતા નથી. મારું આત્મસ્વરૂપ અતીન્દ્રિય હોવાથી તેમની ઇન્દ્રિયોને અગોચર છે, તેથી તેઓ મારા વિષયમાં શત્રુ – મિત્રની કલ્પના કેવી રીતે કરી શકે? તેઓ મારા જડ શરીરને જ દેખે છે, શરીરથી અત્યંત ભિન્ન એવો મારો આત્મા તો દેખાતો નથી, તો ભલે તેઓ મારા શરીરને શત્રુ – મિત્ર માને; મને (મારા આત્માને) તેથી શું?
જ્ઞાની જનો મારા શુદ્ધાત્મસ્વરૂપને યથાવત્ જાણતા હોવાથી તેમનામાં રાગ – દ્વેષાદિનો અભાવ છે, તેથી મારા પ્રત્યે તેમનામાં શત્રુ – મિત્રભાવ કેવી રીતે હોઈ શકે?
આ રીતે જ્ઞાની કે અજ્ઞાની – કોઈ જીવ મારો શત્રુ નથી કે મિત્ર નથી. ૨૬.
અન્તરાત્માને બહિરાત્મપણાના ત્યાગનો અને પરમાત્મપણાની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતાં કહે છેઃ —
અન્વયાર્થ : (एवं) આવી રીતે (बहिरात्मानं) બહિરાત્માને (त्यक्त्वा) તજી (अंतरात्मव्यवस्थितः) અંતરાત્મામાં વ્યવસ્થિત થઈ તથા (सर्वसंकल्पवर्जितं) સર્વ સંકલ્પોથી રહિત થઈને (परमात्मानं) પરમાત્માને (भावयेत्) ભાવવો.
ટીકા : એવી રીતે એટલે ઉક્ત પ્રકારે અંતરાત્મામાં વ્યવસ્થિત થઈને અને બહિરાત્માનો ત્યાગ કરીને પરમાત્માની ભાવના કરવી, કેવા થઈને? સર્વ સંકલ્પોથી રહિત થઈને – વિકલ્પજાલરહિત થઈને અર્થાત્ સર્વ સંકલ્પોથી મુક્ત થઈને (પરમાત્માની ભાવના કરવી). (૨૭).
ભાવાર્થ : પ્રથમ જીવ બહિરાત્મપણાને છોડી આત્મસ્વરૂપની સન્મુખ થતાં અંતરાત્મા