Samadhitantra (Gujarati). Gatha: 27.

< Previous Page   Next Page >


Page 42 of 170
PDF/HTML Page 71 of 199

 

સમાધિતંત્ર૫૫

अन्तरात्मनो बहिरात्मत्वत्यागे परमात्मत्वप्राप्तौ चोपायत्वं दर्शयन्नाह

त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः
भावयेत्परमात्मानं सर्वसंकल्पवर्जितम् ।।२७।।

टीकाएवमुक्तप्रकारेणान्तरात्मव्यवस्थितः सन् बहिरात्मानं त्यक्त्वा परमात्मानं भावयेत् कथंभूतं ? सर्वसंकल्पवर्जितं विकल्पजालरहितं अथवा सर्वसंकल्पवर्जितः सन् भावयेत् ।।२७।। જાણતા નથી. મારું આત્મસ્વરૂપ અતીન્દ્રિય હોવાથી તેમની ઇન્દ્રિયોને અગોચર છે, તેથી તેઓ મારા વિષયમાં શત્રુમિત્રની કલ્પના કેવી રીતે કરી શકે? તેઓ મારા જડ શરીરને જ દેખે છે, શરીરથી અત્યંત ભિન્ન એવો મારો આત્મા તો દેખાતો નથી, તો ભલે તેઓ મારા શરીરને શત્રુમિત્ર માને; મને (મારા આત્માને) તેથી શું?

જ્ઞાની જનો મારા શુદ્ધાત્મસ્વરૂપને યથાવત્ જાણતા હોવાથી તેમનામાં રાગદ્વેષાદિનો અભાવ છે, તેથી મારા પ્રત્યે તેમનામાં શત્રુમિત્રભાવ કેવી રીતે હોઈ શકે?

આ રીતે જ્ઞાની કે અજ્ઞાનીકોઈ જીવ મારો શત્રુ નથી કે મિત્ર નથી. ૨૬.

અન્તરાત્માને બહિરાત્મપણાના ત્યાગનો અને પરમાત્મપણાની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૨૭

અન્વયાર્થ : (एवं) આવી રીતે (बहिरात्मानं) બહિરાત્માને (त्यक्त्वा) તજી (अंतरात्मव्यवस्थितः) અંતરાત્મામાં વ્યવસ્થિત થઈ તથા (सर्वसंकल्पवर्जितं) સર્વ સંકલ્પોથી રહિત થઈને (परमात्मानं) પરમાત્માને (भावयेत्) ભાવવો.

ટીકા : એવી રીતે એટલે ઉક્ત પ્રકારે અંતરાત્મામાં વ્યવસ્થિત થઈને અને બહિરાત્માનો ત્યાગ કરીને પરમાત્માની ભાવના કરવી, કેવા થઈને? સર્વ સંકલ્પોથી રહિત થઈનેવિકલ્પજાલરહિત થઈને અર્થાત્ સર્વ સંકલ્પોથી મુક્ત થઈને (પરમાત્માની ભાવના કરવી). (૨૭).

ભાવાર્થ : પ્રથમ જીવ બહિરાત્મપણાને છોડી આત્મસ્વરૂપની સન્મુખ થતાં અંતરાત્મા

એમ તજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ;
સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો પરમસ્વરૂપ. ૨૭.