आत्मन्यचलतां अनन्तज्ञानादिचतुष्टयरूपतां वा ।।२८।।
नन्वात्मभावनाविषये कष्टपरम्परासद्भावेन भयोत्पत्तेः कथं कस्यचित्तत्र प्रवृत्तिरित्याशङ्कां निराकुर्वन्नाह —
ભાવાર્થ : અનંતજ્ઞાનસ્વરૂપ પરમાત્મા તે જ ‘હું છું’ એવી વારંવાર અભેદ ભાવના ભાવવાથી તેના સંસ્કાર દ્રઢ થાય છે અને તેવા સંસ્કારને લીધે આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જીવ અનંતચતુષ્ટયરૂપ પરમપદની પ્રાપ્તિ કરે છે.
જ્યારે અંતરાત્મા સ્વસન્મુખ થઈ પોતાને સિદ્ધ સમાન શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સુખ – ધામ અને અનંતચતુષ્ટયાદિરૂપ ધ્યાવે છે – વારંવાર ભાવે છે, ત્યારે અભેદ અવિચલ ભાવનાના બળે તે શુદ્ધાત્મસ્વરૂપમાં તન્મય થઈ જાય છે. તે વખતે તેને અનિર્વચનીય આનંદનો અનુભવ થાય છે. પરમાત્મસ્વરૂપમાં લીન થતાં તે સ્વયં પરમાત્મા થઈ જાય છે. આ પરમાત્મસ્વરૂપની દ્રઢ ભાવનાનું ફલ છે.
‘‘જે પરમાત્મા છે તે જ હું છું – એવી વારંવાર ભાવના ભાવતાં શુદ્ધસ્વાત્મામાં જે લીનતા થાય છે, તે કોઈ વચન – અગોચર યોગ છે – સમાધિરૂપ ધ્યાન છે.’’૧
આવી રીતે પરમાત્મભાવનાના દ્રઢ સંસ્કારથી આત્મા પરમાત્મા થઈ જાય છે. ૨૮. આત્મ – ભાવનાના વિષયમાં કષ્ટપરંપરાના સદ્ભાવને લીધે ભયની ઉત્પત્તિની સંભાવના રહે છે, તો તેમાં કોઈની કેવી રીતે પ્રવૃત્તિ થાય? એવી આશંકાનું નિરાકરણ કરતાં કહે છેઃ —
અન્વયાર્થ : (मूढात्मा) અજ્ઞાની બહિરાત્મા (यत्र) જેમાં – શરીર – પુત્ર – મિત્રાદિ બાહ્ય પદાર્થોમાં (विश्वस्तः) વિશ્વાસ કરે છે (ततः) તેનાથી – શરીરાદિ બાહ્ય પદાર્થોથી (अन्यत्) બીજું કો (भयास्पदं न) ભયનું સ્થાન નથી અને (यतः) જેનાથી – પરમાત્મસ્વરૂપના અનુભવથી ૧. જુઓઃ ‘અધ્યાત્મરહસ્ય’ – શ્લોક ૫૭.