Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 45 of 170
PDF/HTML Page 74 of 199

 

૫૮સમાધિતંત્ર

टीकामूढात्मा बहिरात्मा यत्र शरीरपुत्रकलत्रादिषु विश्वस्तोऽवंचकाभिप्रायेण विश्वासं प्रपिपन्नः मदीया एते अहमेतेषामितिअभेदबुद्धिं गत इत्यर्थः ततो नान्यद्भयास्पदं ततः शरीरादेर्नान्यद्भयास्पदं संसारदुःखात्रसस्यास्पदं स्थानम् यतो भीतः यतः परमात्मस्वरूपसंवेदनाद्भीतः त्रस्त ततो नान्यदभयस्थानं ततः स्वसंवेदनात् नान्यत् अभयस्य संसारदुःखत्रासाभावस्य स्थानमास्पदम् सुखास्पदं ततो नान्यदित्यर्थः ।।२९।। (भीतः) તે ડરે છે (ततः अन्यत्) તેનાથી બીજું કાંઈ (आत्मनः) આત્માને (अभयस्थानं न) નિર્ભયતાનું સ્થાન નથી.

ટીકા : મૂઢાત્મા એટલે બહિરાત્મા જ્યાં એટલે શરીરપુત્રભાર્યાદિમાં વિશ્વાસ કરે છેઅવંચક અભિપ્રાયથી (તેઓ મને ઠગશે નહિ એવા અભિપ્રાયથી) વિશ્વાસ પામે છે‘તે મારાં છે અને હું તેમનો છું’ એવી અભેદબુદ્ધિ કરે છેએવો અર્થ છે. તેનાથી બીજું કોઈ ભયનું સ્થાન નથીતેનાથી એટલે શરીરાદિથી બીજું ભયનું સ્થાનઅર્થાત્ સંસારદુઃખના ત્રાસનું સ્થાન નથી.

જેનાથી ભય પામે છેજેનાથી એટલે પરમાત્મસ્વરૂપના સંવેદનથી ભય પામે છેત્રાસે છે, તેનાથી બીજું કોઈ અભયસ્થાન નથીતેનાથી એટલે સ્વસંવેદનથી બીજું અભયનું સંસારદુઃખના ત્રાસના અભાવનું સ્થાન નથી. તેનાથી બીજું સુખનું સ્થાન નથીએવો અર્થ છે.

ભાવાર્થ : શરીરપુત્રાદિ જે ભયનું સ્થાન છેદુઃખનું કારણ છે તેમાં બહિરાત્મા આત્મબુદ્ધિ કરી વિશ્વાસ કરે છે અને પરમાત્મસ્વરૂપ જે નિર્ભય સ્થાન છે, પરમશરણરૂપ છે અને સુખનું કારણ છે, તેના સંવેદનને કષ્ટરૂપ માની ડરે છે.

અજ્ઞાની બાહ્ય શરીરાદિમાં સુખ માની તેમાં નિઃશંકપણે પ્રવર્તે છે, પણ વાસ્તવમાં તેઓ મૃગજળ સમાન છે. તેમાં કાંઈ સુખ નથી; તે કોઈનું શરણ નથી કે કોઈનું વિશ્વાસનું અભયનું સ્થાન નથી. એક શુદ્ધાત્મસ્વરૂપ જ અભયરૂપ છે, તે જ શરણનું સ્થાન છે અને તે જ જગતના જીવોને ભવભયમાંથી રક્ષા કરનાર પરમ તત્ત્વ છે.

વિશેષ

જેમ પિત્તજ્વરવાળા રોગીને મીઠું દૂધ પણ કડવું લાગે છે, તેમ બહિરાત્માને પરમ સુખદાયી પરમાત્મસ્વરૂપની ભાવના પણ કષ્ટદાયી લાગે છે; તેથી તે આત્મસ્વરૂપની ભાવનાને ભાવતો નથી પણ વિષયકષાયની જ ભાવના ભાવે છે.

વળી, ‘‘રાગાદિ પ્રગટ એ દુઃખ દૈન, તિનહીકો સેવત ગિનત ચૈન;

.... ...... ..... .... .......(૨/૫)