तस्यात्मनः कीदृशः तत् प्रतिपत्त्युपाय इत्याह —
આત્મહિત – હેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકું કષ્ટદાન.’’(૨/૬)૧
રાગાદિ વિષય – કષાયો આત્માને અહિતરૂપ છે – દુઃખદાયક છે, છતાં અજ્ઞાની તેમાં હિત માની – સુખ માની – પ્રવર્તે છે અને જ્ઞાન – વૈરાગ્ય જે આત્માને હિતકર છે તેને અહિતકર – કષ્ટરૂપ માને છે.
વળી અજ્ઞાની જીવને ઉદ્દેશીને શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે – ‘‘અરે જીવ!
ઉઘાડ ન્યાય – નેત્રને, નિહાળ રે! નિહાળ તું,
‘‘અહા! જે અનંતસુખનું ધામ છે એવા ચૈતન્ય – સ્વભાવમાં તો તને મિત્રતા ન રહી – તેમાં ઉત્સાહ અને પ્રેમ ન આવ્યો અને અનંત દુઃખનું ધામ એવા જે બાહ્ય વિષયો – તેમાં તને સુખબુદ્ધિ થઈ – પ્રેમ આવ્યો – ઉત્સાહ આવ્યો, એ કેવી વિચિત્રતા છે! અરે જીવ! હવે તારાં જ્ઞાન – ચક્ષુને ઉઘાડીને જો, રે જો, કે, ‘તારો સ્વભાવ દુઃખરૂપ નથી, પણ બાહ્ય વિષયો તરફનું તારું વલણ એકાંત દુઃખરૂપ છે. તેમાં સ્વપ્નેય સુખ નથી.’ આમ વિવેકથી વિચારી તારા અંતર સ્વભાવ તરફ વળ અને બાહ્ય વિષયોમાં સુખ – બુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત થા, નિત્ય નિર્ભય સ્થાન અને સુખનું ધામ તો તારો આત્મા જ છે.’’
તેથી શુદ્ધાત્મસ્વરૂપના સ્વસંવેદન સિવાય અન્ય કોઈ અભય સ્થાન નથી. સંસાર – દુઃખના ત્રાસના અભાવનું તે એક જ સ્થાન છે, અર્થાત્ સુખનું એ એક જ સ્થાન છે, શરીર – પુત્રાદિ બાહ્ય પદાર્થો – કોઈ સુખનું સ્થાન નથી. ૨૯.
તે આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય કેવો છે તે કહે છેઃ — ૧. જુઓઃ શ્રી દૌલતરામજીકૃત ‘છહઢાલા’ ૨// // /
//
/