Samadhitantra (Gujarati). Gatha: 30.

< Previous Page   Next Page >


Page 46 of 170
PDF/HTML Page 75 of 199

 

સમાધિતંત્ર૫૯

तस्यात्मनः कीदृशः तत् प्रतिपत्त्युपाय इत्याह

सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना
यत्क्षणं पश्यतो भाति तत्तत्त्वं परमात्मनः ।।३०।।

આત્મહિતહેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકું કષ્ટદાન.’’(૨/૬)

રાગાદિ વિષયકષાયો આત્માને અહિતરૂપ છેદુઃખદાયક છે, છતાં અજ્ઞાની તેમાં હિત માનીસુખ માનીપ્રવર્તે છે અને જ્ઞાનવૈરાગ્ય જે આત્માને હિતકર છે તેને અહિતકર કષ્ટરૂપ માને છે.

વળી અજ્ઞાની જીવને ઉદ્દેશીને શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે‘‘અરે જીવ!

‘‘અનંત સુખ નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા,
અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા!
ઉઘાડ ન્યાય
નેત્રને, નિહાળ રે! નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.’’

‘‘અહા! જે અનંતસુખનું ધામ છે એવા ચૈતન્યસ્વભાવમાં તો તને મિત્રતા ન રહી તેમાં ઉત્સાહ અને પ્રેમ ન આવ્યો અને અનંત દુઃખનું ધામ એવા જે બાહ્ય વિષયોતેમાં તને સુખબુદ્ધિ થઈપ્રેમ આવ્યોઉત્સાહ આવ્યો, એ કેવી વિચિત્રતા છે! અરે જીવ! હવે તારાં જ્ઞાનચક્ષુને ઉઘાડીને જો, રે જો, કે, ‘તારો સ્વભાવ દુઃખરૂપ નથી, પણ બાહ્ય વિષયો તરફનું તારું વલણ એકાંત દુઃખરૂપ છે. તેમાં સ્વપ્નેય સુખ નથી.’ આમ વિવેકથી વિચારી તારા અંતર સ્વભાવ તરફ વળ અને બાહ્ય વિષયોમાં સુખબુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત થા, નિત્ય નિર્ભય સ્થાન અને સુખનું ધામ તો તારો આત્મા જ છે.’’

તેથી શુદ્ધાત્મસ્વરૂપના સ્વસંવેદન સિવાય અન્ય કોઈ અભય સ્થાન નથી. સંસાર દુઃખના ત્રાસના અભાવનું તે એક જ સ્થાન છે, અર્થાત્ સુખનું એ એક જ સ્થાન છે, શરીર પુત્રાદિ બાહ્ય પદાર્થોકોઈ સુખનું સ્થાન નથી. ૨૯.

તે આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય કેવો છે તે કહે છેઃ ૧. જુઓઃ શ્રી દૌલતરામજીકૃત ‘છહઢાલા’ ૨// // /

૫; ૨//
//
/
ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ,
ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મસ્વરૂપ. ૩૦.
૧૦